October 30th 2011

સ્નેહનુ સગપણ

.                  સ્નેહનુ સગપણ

તાઃ૩૦/૧૦/૨૦૧૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચું સગપણ એતો સ્નેહ છે,ના જન્મના બંધન હોય
મળતી માનવતા સંસારમાં,ત્યાંજ કર્મનાબંધન હોય
.                     ………….સાચું સગપણ એતો સ્નેહ છે.
શીતળ જીવન માનવપ્રેમ,ભટકે ના જીવન આમતેમ
લાગણીપ્રેમ તો છે અંતરથી,નિરખી શકે ન કોઇ એમ
મળતીપ્રીત અનેરી જીવને,જ્યાં દેહનિર્મળ થઈ જાય
હશીખુશીની કેડી જીવનમાં,ખોલીદે જીવના મુક્તિદ્વાર
.                   …………..સાચું સગપણ એતો સ્નેહ છે.
માયામળતાં માબાપની,જીવનું બાળપણ સુધરી જાય
આશીર્વાદની એકજ ટપલી,દેહને ઉજ્વળ જીવન દેતી
સ્નેહ એજ છે સાચુસગપણ,જીવનની ઝંઝટો છુટી જાય
કરી લીધેલા કામ પ્રેમથી,આધી વ્યાધીઓને તોડીજાય
.                   …………..સાચું સગપણ એતો સ્નેહ છે.

=====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment