January 23rd 2012

નાતજાત

………………………..નાતજાત

તાઃ૨૩/૧/૨૦૧૨ ……………પ્રદીપ બ્રહ્મભટ્ટ

નાતજાતની ના કોઇ વ્યાધી,જ્યાં સંત સાંઇને ભજાય
ઉજ્વળ માનવ જીવન જીવતાં,ભક્તિ સાચી થઈજાય
. ……………………………………નાતજાતની ના કોઇ વ્યાધી.
કળીયુગી કલમ સૌને મળતી,સમજી સાચવી પકડાય
જન્મસફળ કરવાને કાજે,મનથી નાતજાત તરછોડાય
મળે પ્રેમ અલ્લા ઇશ્વરનો,જે સાંઇ કૃપાએ જ મેળવાય
સુખશાંન્તિની વરસેવર્ષા જીવે,એ સાચી ભક્તિકહેવાય
. …………………………………….નાતજાતની ના કોઇ વ્યાધી.
નિર્મળભાવના સંગે રાખી,જ્યાં સંત સાંઇબાબાને પુંજાય
પળેપળે ૐ સાંઇનાથાય નમઃથી,જીવનેશાંન્તિ મળીજાય
મુક્તિમાર્ગની કેડીમળતાં,જીવને સંતસાંઇના દર્શન થાય
ભક્તિસાચી ભાવથી કરતાં,ભવોભવના બંધન છુટી જાય
. ……………………………………નાતજાતની ના કોઇ વ્યાધી.

==============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment