July 13th 2012

સંસ્કારી કેડી

.                      .સંસ્કારી કેડી

તાઃ૧૩/૭/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં,સુખ શાંન્તિ દઈ જાય
ભક્તિ પ્રેમની પ્રીત મળે,એ જ સંસ્કાર સાચા કહેવાય
.                  ………………જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
વડીલને વંદન પ્રેમથી કરતાં,આશીર્વાદ જ મળી જાય
સરળતાને સાથ રહે જીવનમાં,જે સુખ શાંન્તિ દઈ જાય
મળે જગતમાં પ્રેમસૌનો,જે અનહદ આનંદઆપી જાય
શાંન્તિનો સહવાસ મળતાં,જલાસાંઇની કૃપા થઈ જાય
.                 ………………..જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
જન્મ મળેલ અવનીએ જીવને,કર્મના બંધનથી બંધાય
કરેલકર્મ એસીડીજીવની,જે જીવનના સોપાનથઈ જાય
સંસ્કારની કેડી મળે પ્રભુથી,જે માબાપની કૃપા કહેવાય
પળપળને પારખતાં દેહને,અમૃતે જન્મસફળ થઈ જાય
.                 …………………જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment