July 23rd 2012

પ્રેમથી ભક્તિ

.                    .પ્રેમથી ભક્તિ

તાઃ૨૩/૭/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ ભાવથી ભક્તિ કરતાં,પ્રભુ કૃપાજ થઈ જાય
શ્રધ્ધા રાખી પ્રભુને ભજતાં,જન્મ સફળથઈ જાય
.                ……………….પ્રેમ ભાવથી ભક્તિ કરતાં.
મોહ માયાને દુર કરતાં,જીવને શાંન્તિ મળી જાય
આધીવ્યાધીને આઘી મુકતાં,નિર્મળ જીવન થાય
લીલાકુદરતનીઅવનીએ,સાચીભક્તિએ સમજાય
શાંન્તિનોસહવાસ મળતાં,જીવને મુક્તિમળી જાય
.              ………………..પ્રેમ ભાવથી ભક્તિ કરતાં.
સરળ જીવનની સાચી કેડી,પ્રભુભક્તિએ મેળવાય
નિર્મળતાના વાદળવરસે,ને પ્રેમ સૌનો મળીજાય
પ્રભુકૃપાની હેલી મળતાં,કળીયુગ દુર ભાગી જાય
આવીઆંગણે મળે પ્રેમપ્રભુનો,એજભક્તિ કહેવાય
.              …………………પ્રેમ ભાવથી ભક્તિ કરતાં.

+++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment