શાને મળે?
. .શાને મળે?
તાઃ૨૬/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ દેહ તો મુક્તિ માગે,લઈ દેહ જીવ ભટકાય
કરુણા કરુણા કરતાં કરતાં,વ્યાધીઓ વધતી જાય
. ………………માનવ દેહ તો મુક્તિ માગે.
કર્મનીકેડી જીવને મળે અવનીએ,સૌને મળી જાય
માનવતાની મહેંક પ્રસરે,જે દેહે વર્તનથી દેખાય
કરેલ કર્મની સીડી ચઢવા,જગે નાકોઇથી છટકાય
માનવ મનની એજ આશા,વ્યાધી શાને મળીજાય
. ………………..માનવ દેહ તો મુક્તિ માગે.
નિર્મળતાનો સંગ છુટે,ત્યાં તકલીફોજ મળતી જાય
સરળતાની રાહને શોધતાં,ના માર્ગ જીવને દેખાય
ભક્તિનીએક નાનીકેડીએ,આ જન્મસફળ થઈજાય
મુક્તિનો અણસારમળે,જ્યાં ભક્તિ માર્ગમળી જાય
. ………………..માનવ દેહ તો મુક્તિ માગે.
=================================