July 16th 2013

જીવને મળે

.                   .જીવને મળે   

તાઃ૧૬/૭/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળશે માયા ને મળશે મોહ,કરશે આ માનવ જીવન ફોગ
નિર્મળતાનો નાસંગ રહેશે,ને માનવતાની કરવાની શોધ
.                      …………………..મળશે માયા ને મળશે મોહ.
દેહ મળે છે અવનીએ જીવને,જ્યાં કર્મની કેડી મળી જાય
કરેલ કર્મ સંકેત બને જીવના,ના કોઇ જીવથી કદી છટકાય
સરળતાનો સંગાથ મળે છે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
બંધન છુટતા જીવના દેહથી,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.                     …………………….મળશે માયા ને મળશે મોહ.
આજકાલને આંબી લેવા,દેહના કર્મબંધન સમજીને પકડાય
સાચી રાહ જીવનમાં મળતા,ના કદી કોઇ અનીતિ અથડાય
મનનેશાંન્તિ ને તનને શાંન્તિ,એ સાચી જીવનરાહ કહેવાય
પ્રભુ કૃપા અને પ્રભુ પ્રેમ મળતાં,મોહમાયા પણ ભાગી જાય
.                       …………………..મળશે માયા ને મળશે મોહ.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment