December 15th 2020
. .પવિત્ર કૃપા
તાઃ૧૫/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવને દેહ મળે જે કર્મનોસંબંધ છે,એ ગતજન્મે થયેલ કહેવાય
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
લક્ષ્મીમાતાનો પ્રેમમળે કૃપાએ,જ્યાં માતાને ભક્તિથી વંદન થાય
માતાનીકૃપાળુ કેડીથી,શ્રી વિષ્ણુ ભગવાનના આશિર્વાદ મેળવાય
જગતમાં લક્ષ્મીમાતાને ધનલક્ષ્મી પણ કહેવાય,જે કૃપા આપીજાય
જે મળેલદેહને ધન આપી,જીવનમાં સુખસાગરની વર્ષા કરી જાય
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
શ્રી વિષ્ણુભગવાન એ લક્ષ્મીમાતાના પતિ,વંદનકરતા કૃપા કરીજાય
અજબશક્તિશાળી એપરમાત્માનાદેહ છે,જે દેહના દર્શનથીસમજાય
જીવને કૃપાએ પવિત્રકર્મની રાહ આપે,એ જીવનમાં સત્કર્મ કહેવાય
માનવદેહને થયેલ કર્મ સ્પર્શે,શ્રધ્ધાથીવંદન કરતા દેહપર કૃપા થાય
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
*********************************************************
No comments yet.