પવિત્ર ભક્તિરાહ
###### . .પવિત્ર ભક્તિરાહ તાઃ૪/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જે ધર્મકર્મની સમજણ આપી જાય શેરડીગામથી શ્રધ્ધા સબુરી મળી,અને વિરપુરથી ભોજનરાહ મેળવાય .....એવી પવિત્ર ભક્તિરાહ આપવા,માનવદેહને સત્કર્મની પ્રેરણા આપી જાય. વિરપુરમાં જન્મ લીધો,જે પિતા પ્રધાન ને રાજબાઈના સંતાન કહેવાય પાવનરાહે જીવનજીવતા જલારામને,પત્ની વિરબાઈનો સંગાથ મળીજાય મળેલ દેહથી સત્કર્મની કેડીને પકડીને,એ કાકાની દુકાનને ચલાવી જાય પવિત્રકૃપા થતા અન્નદાનની રાહ મળી,જે ભુખ્યાને ભોજન કરાવી જાય .....એવી પવિત્ર ભક્તિરાહ આપવા,માનવદેહને સત્કર્મની પ્રેરણા આપી જાય. પાથરીગામમાં જન્મ લીધો,ને સમયે શેરડીમા એસાંઇબાબાથી આવી જાય મળેલદેહને પરમાત્માની કૃપા પામવા,શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય ધર્મકર્મનો સંબંધ છે માનવદેહને,જે મળેલ દેહની માનવતા પ્રગટાવી જાય સાંઇબાબાને સાથ મળ્યો દ્વારકામાઈનો,જે શેરડીમાં પાવનકર્મ કરાવીજાય .....એવી પવિત્ર ભક્તિરાહ આપવા,માનવદેહને સત્કર્મની પ્રેરણા આપી જાય. =============================================================