March 8th 2021
. .મહાદેવ ભંડારી
તાઃ૮/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ ભોલેનાથ કહેવાય,જગતમાં શંકર ભગવાનથીય ઓળખાય
હિંદુધર્મમાં માતા પાર્વતીના પતિદેવ છે,જેમને ભોલેભંડારી પણ કહેવાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લઈને ભારતમાં આવ્યા,જે પવિત્રગંગા વહાવી જાય.
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથી પુંજન કરાય
શિવલીંગપર દુધ અર્ચનાકરતા,શ્રી ભોલેનાથ ભગવાનની પાવનકૃપા થાય
પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં પવિત્ર શ્રધ્ધાથીજ માળા કરી પુંજા કરાય
ભારતમાં હિમાલયની પુત્રી પાર્વતી,શંકર ભગવાનની જીવનસંગીની થાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લઈને ભારતમાં આવ્યા,જે પવિત્રગંગા વહાવી જાય.
અજબ શક્તિશાળીદેવ છે,જે શ્રધ્ધાએ ભક્તિકરતા દેહોપર કૃપા કરીજાય
પવિત્રસંતાનથી શ્રીગણેશ,સંગેકાર્તીક,અને દીકરી અશોકસુંદરી જન્મીજાય
પુત્ર ગણેશ ગજાનન શ્રી ગણેશથી ઓળખાય,જે ભાગ્યવિધાતાય કહેવાય
પવિત્રદેહર્થી ભારતદેશમાં જન્મ લઈને,દુનીયામાં પવિત્ર હિંદુધર્મ કરી જાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લઈને ભારતમાં આવ્યા,જે પવિત્રગંગા વહાવી જાય.
###############################################################
No comments yet.