જય જલારામ
****
. .જય જલારામ તાઃ૧૮/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ વિરપુરમાં એ પવિત્ર પરિવાર હતો,જે જલારામની પ્રેરણાએ પવિત્ર થાય મળે માનવ જીવનમાં કુદરતની કૃપા થઈ,એ દેહને પવિત્રમાર્ગે લઈ જાય ....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય. પરમાત્માનો પ્રેમમળ્યો જીવનમાં,જે દેહનેપવિત્રકર્મની આંગળી ચીંધી જાય પવિત્ર શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા,સત્કર્મનો સંગાથ પરમાત્મા આપી જાય આંગળી ચીંધી પવિત્ર ભોજનની,જે મળેલ માનવદેહને અન્નદાન કરી જાય જન્મથી મળેલ માનવદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં સુખશાંંતિથીદેખાય ....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય. મળ્યો માબાપનો પ્રેમ જલારામને,જે જીવનમા સત્કર્મનો સંગાથ આપી જાય પાવનકૃપાથી પરમાત્માએ પ્રેરણા કરી,સંગે પત્નિવીરબાઈનો સાથ મળીજાય જલારામને પ્રેરણા મળી જે ભુખ્યાને ખવડાવી જાય,એજ પાવનકર્મ કહેવાય શ્રધ્ધાની પરખ કરવા પધાર્યા પરમાત્મા,જે વિરબાઈને સેવા કરવા લઈ જાય ....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય. ==============================================================