March 30th 2021

માતા પાર્વતીપુત્ર

** જય શ્રી ગણેશ - Photos | Facebook**

           .માતા પાર્વતીપુત્ર

.તાઃ૩૦/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ     

માતા પાર્વતીના લાડલા દીકરા,હિંદુ ધર્મમાં એ ભાગ્યવિધાતાય કહેવાય
પવિત્રકૃપા મળી પિતા શંકરની,જે પ્રભુનાદેહથી શ્રીગણેશથી ઓળખાય
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
જગતમાં હિંદુધર્મ પવિત્ર ધર્મ છે,જ્યાં પરમાત્માની કૃપા દેહથી મેળવાય
અનેક પવિત્ર દેહથી પરમાત્માનુ આગમન થયુ,જે પવિત્રભુમી કરી જાય
શ્રધ્ધાભાવથી જીવનમાં ભક્તિ કરતા,જીવને મળેલદેહથી પવિત્રકર્મ કરાય
શંકરભગવાનને ભોલેનાથ પણ કહેવાય,જે ભાગ્યવિધાતાના પિતા કહેવાય
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
મળેલદેહના પવિત્રકર્મથી માબાપનો પ્રેમમળતા,વિઘ્નવિનાયકથી ઓળખાય
શ્રી ગણેશને સંસારી જીવનમાં,પત્નિ તરીકે રિધ્ધી સંગે સિધ્ધી મળી જાય
ભાઈ કાર્તિકેય મળ્યા અને બહેન અશોકસુંદરી મળીએ માબાપની કૃપાથઈ
કુટુંબમાં પુત્રી સંતોષી અને પુત્ર શુભાઅનેલાભ થયા,જે કુળને વધારી જાય 
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment