April 8th 2021

માનવતાની મહેંક

### સાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ, કોમેન્ટ કરો "જય સાઈનાથ" - Gujaratidayro###

          .માનવતાની મહેંક      

તાઃ૮/૪/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ      

મળે માનવદેહ અવનીપર જીવને,જે ગત જન્મના કર્મથી મળી જાય
પવિત્રરાહે જીવન જીવવા શેરડી આવ્યા,જે પવિત્રકર્મથી જીવી જાય
....એવા એ વ્હાલા માનવી થયા,જે હિંદુમુસ્લીમને માનવતા આપી જાય.
માનવદેહને સંબંધ કર્મથી જે જીવનમાં,પ્રેરણા આપતા દેહને સમજાય
સાંઈબાબા એવ્હાલા યોગી થયા,જે જીવનમાં પવિત્રપ્રેરણા આપીજાય
જગતમાં ધર્મને પકડીને ચાલવુ,એ પળેપળ દેહને સમજણ આપી જાય
પવિત્ર પ્રેરણાકરી બાબાએ શેરડીથી,કે શ્રધ્ધાશબુરીથી શાંંતિ મેળવાય
....એવા એ વ્હાલા માનવી થયા,જે હિંદુમુસ્લીમને માનવતા આપી જાય.
નિરાધારદેહથી આવ્યા શેરડીમાં,જ્યાં દ્વારકામાઈથી જીવનમાંમદદથાય
મળેલદેહથી પરમાત્માને પ્રાર્થના કરી,જે માનવદેહને પરમપ્રેમ દઈ જાય
અનેકદેહથી ભારતદેશમાં જન્મ્યા,એજ પ્રભુનો પાવનપ્રેમ સૌથી મેળવાય
જીવનમાં ધર્મની પ્રેરણામાં સમજાયુ,કે માનવદેહથી શ્રધ્ધાસબુરીથી પુંજાય
....એવા એ વ્હાલા માનવી થયા,જે હિંદુમુસ્લીમને માનવતા આપી જાય.
============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment