બજરંગબલી મહાવીર
####
.બજરંગબલી મહાવીર તાઃ૧૭/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ અવનીપર પવિત્રપ્રેમ મળે પરમાત્માની કૃપાએ,જે જીવનમાં મળી જાય પવનદેવની કૃપા અંજનીપર,જે બજરંગબલી મહાવીરને જન્મ દઈ જાય .....પાવનપ્રેમ જગતમાં મળે,જે પવિત્રજીવને અવનીપર દેહથી લાવી જાય. ભારતદેશમાં હિંદુધર્મમાં જન્મ્યા,જે માતા અંજનીના દીકરાથી ઓળખાય એ પવનપુત્ર પણ કહેવાય,જે શ્રી રામને જીવનમાં ખુબ મદદ કરી જાય માતાસીતાને શોધવા પિતાની કૃપાએ,ઉડીને લંકામાં શોધવા માટે જાય પાછા આવીને શ્રીરામને પત્ની સીતાની,નિરાધાર જગ્યાએ બતાવી જાય .....પાવનપ્રેમ જગતમાં મળે,જે પવિત્રજીવને અવનીપર દેહથી લાવી જાય. અંજનીપુત્ર હનુમાન સમયસંગે ચાલતા,શ્રીરામની કૃપાએ મહાવીર કહેવાય શ્રીરામના ભાઈ લક્ષ્મણ બેહોશથયા,હનુમાન સંજીવનીલાવી બચાવીજાય સીતામાતાને પાછા લાવવા,રામલક્ષ્મણને ખભાપર લઈ લંકાએ લઈ જાય રાજારાવણના અભિમાનને તોડવા,લંકામાં રાવણનુ દહન કરીને મારીજાય .....પાવનપ્રેમ જગતમાં મળે,જે પવિત્રજીવને અવનીપર દેહથી લાવી જાય. ***********************************************************