April 22nd 2021

મારા વ્હાલા સાંઇ

**જાણો શિરડીના સંત સાંઈ બાબાના જીવનના એવા રહસ્યો, જેના વિષે તમે નહિ જાણ્યું હોય. |**
.           .મારા વ્હાલા સાંઇ 

તાઃ૨૨/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રદેહ લીધો પરમાત્માએ ભારતમાં,જે મારા વ્હાલા સાંઇથી ઓળખાય
માનવદેહને સંબંધ માનવતાનો,ના મળેલદેહને ધર્મકર્મની સાંકળ અડી જાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
સાંઇબાબાએ દેહથી જીવને મળેલદેહને,આંગળી ચીધી જે સુખ આપી જાય
માનવદેહને નાધર્મ કે નાકર્મ અડે,જે પ્રભુકૃપાએ મળેલદેહથી પ્રેમ મળી જાય
શ્રધ્ધા અને શબુરીની સમજણ આપી,ના માનવદેહને હિંદુમુસ્લીમથી પકડાય  
પવિત્રપ્રેમથી બાબાનો પ્રેમ મળ્યો દેહને,જે મળેલદેહને પાવનકર્મ કરાવીજાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
વ્હાલા સાંઇબાબા કર્મકરવા શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મેળવાય
પાવન આંગળી ચીંધી માનવદેહને,એ જીવને મળેલદેહને સમજણ આપી જાય
જીવના મળેલ દેહને મનુષ્યની સમજણ પડે,ના જીવનમાં કોઇ અપેક્ષા રખાય
પવિત્ર પરમાત્માનીકૃપા મળે દેહને,જે બાબાનીકૃપાએ જીવને મુક્તિ મળી જાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment