October 10th 2022

મળે કૃપા ભગવાનની

****હૃદયનો પ્રેમ Hradyano Prem****
.           .મળે કૃપા ભગવાનની

તાઃ૧૦/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને અવનીપર માનવદેહને મળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમા,ના કોઇ દેહથી સમયથીદુર રહેવાય
....આ અદભુતલીલા ભગવાનની જગતમાં,નાકોઇ દેહથી કદી સમયને પકડાય.
જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપરના આગમનને પ્રભુની કૃપાએ,માનવદેહ મળે જે કર્મકરી જાય  
જગતમાં સમયનીજ સાંકળ મળે દેહને,જે ઉંમરની સાથે દેહને લઈજાય
મળેલમાનવદેહને ભગવાનની કૃપાએ,આજકાલને સમજી ચાલતા જીવાય
....આ અદભુતલીલા ભગવાનની જગતમાં,નાકોઇ દેહથી કદી સમયને પકડાય.
જીવનાદેહને પરમાત્માની કૃપાએ પવિત્રરાહ મળે,જીવનમાં સુખમળીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરાય,સાથે ધુપદીપકરી વંદનકરાય
માનવદેહથી પવિત્રરાહે જીવનજીવાય,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મળીજાય
જીવનમાં નાઆશા અપેક્ષા અડીંજાય,એ ભગવાનની પવિત્ર કૃપાકહેવાય
....આ અદભુતલીલા ભગવાનની જગતમાં,નાકોઇ દેહથી કદી સમયને પકડાય.
###############################################################
....

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment