આરાધના
. . આરાધના
તાઃ૮/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળે છે શાંન્તિ ત્યાંથી,જ્યાં ભક્તિભાવને સમજાય
આરાધના જલાસાંઇની કરતાં,સંસારી જીવન મહેંકી જાય
. …………………જીવને મળે છે શાંન્તિ ત્યાંથી.
અવની પરના આગમનની કેડી,જન્મ મરણથી જ સંધાય
ઉજ્વળતાની કેડીને પામવા,સંસારના સંબંધને સચવાય
માયામોહની રાહ છોડવાને કાજે,ભગવા રંગને તરછોડાય
સંસારી જીવન ઉજ્વળ રાહ બને,આંગણે પ્રભુ આવી જાય
. ………………….જીવને મળે છે શાંન્તિ ત્યાંથી.
શાંન્તિનો સહવાસ મળતા,મળેલ આ જીવન મહેંકી જાય
કર્મની સાચી કેડીને પકડતા જગે,મોહમાયા ભાગી જાય
અંતરમાં આનંદ ઉભરે કૃપાએ,સંત જલાસાંઇ રાજી થાય
જન્મ બંધન છુટે જીવના અવનીથી,મુક્તિ માર્ગ મેળવાય
. …………………જીવને મળે છે શાંન્તિ ત્યાંથી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦