June 19th 2017
...
...
. .શ્રી શંકરનાથ
તાઃ૧૯/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી છે પરમાત્મા,અનેક નામોથી અવનીએ ઓળખાય
અવનીપરના પવિત્ર જીવો પર એકૃપા કરે,અંતે ભોલેનાથ પણ કહેવાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
ૐ નમઃ શિવાયના મંત્ર જાપથી,જીવને અવનીપર પરમકૃપા મળી જાય
પરમ શ્રધ્ધા ભોલેનાથની રાખતા,માતા પાર્વતીના આશિર્વાદને મેળવાય
સોમવારની પવિત્ર સવારે પુંજન કરતા,નાકોઇ આફત જીવને ઘેરી જાય
શ્રી શંકર ભોલેનાથની અજબકૃપા છે,જે અનેક નામથી વંદન થઈ થાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
શિવલીંગને શ્રધ્ધાએ દુધઅર્ચના કરતા,પાવનરાહ પ્રભુ ભોલેનાથથી લેવાય
માતા પાર્વતીને સંગે પુત્ર શ્રીગજાનંદ ગણપતિ,પરમપ્રેમની વર્ષા કરી જાય
અવનીપરનુ આગમન એકર્મબંધન,જે શ્રી ભોલેનાથની કૃપાએ છુટી જાય
જીવનાબંધન અવનીપર આવનજાવનના,જે પ્રભુકૃપાએ મુક્તિ મળી જાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
==============================================================
No comments yet.