July 13th 2010

કળીયુગી બેન

                      કળીયુગી બેન

તાઃ૧૩/૭/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા છે મારી ઘરવાળી,ને મમતા છે એની બેન
કળીયુગની આ કાયાને ભઇ,આ બે વળગેલા વ્હેણ
                        ……….માયા છે મારી ઘરવાળી.
વિચાર કરતાં વાર લાગે,ત્યાં માયા બબડી જાય
ના સમયની સમજ રહે,ત્યાં ઘણુંજ વેડફાઇ જાય
જ્યાં હાથપકડી ચાલેમાયા,ના આજુબાજુ જોવાય
સ્વાર્થનો અરીસો સામેરહેતાં,નાકાંઇ આંખે દેખાય
                          ………માયા છે મારી ઘરવાળી.
મમતા જ્યારે પડખે આવે,ત્યાં માયા ખુશ દેખાય
કળીયુગની આલીલા એવી,ના સઘળા સુખી થાય
માયા વળગી ચાલે જીવને,દ્વાર સુખના બંધ થાય
અને મમતાનો સહવાસ મળતાં,જન્મ વ્યર્થ થાય
                         ……….માયા છે મારી ઘરવાળી.
સંસારની કેડી કળીયુગમાં,ના સરળતાથી સમજાય
માયાનો સંગ મળતાં દેહને,વ્યાધીઓ વધતી જાય
થોડી અળગી તેને કરતાં,ત્યાં મમતા ભટકાઇ જાય
સાચી ભક્તિનોસંગ મળતા,જીવથી બંન્ને છુટી થાય
                          ……….માયા છે મારી ઘરવાળી.

=============================

July 12th 2010

પારકી પાંખો

                         પારકી પાંખો

તાઃ૧૦/૭/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાદળ વાદળ જોતાં જોતાં,વિમાનમાં બેઠો ભઇ
પાંખોની ના જરૂર પડી,તોય ઉડવા લાગ્યો અહીં
                      ……….વાદળ વાદળ જોતાં જોતાં.
પૃથ્વી પર ચાલવાને,સૌને પગની જરૂર પડે છે ભઇ
ના તાકાત કોઇની જગે,કે તેના વગરએ ચાલે અહીં
નાપંખી કહેવાય કે દેખાય,તોય ઉડી શકે અહીં તહીં
એવી શોધ માનવીની જગે,જે  કરે સાગર પાર જઇ
                          ……….વાદળ વાદળ જોતાં જોતાં.
પંખીને પ્રીત પાંખોથી,જે તેને જ્યાં ત્યાં લઇને જાય
પાંખ પ્રસારી ઉડતાં જગે,મુકામ પણ મેળવી લેવાય
માનવીને બે હાથછે,જે મહેનતે દે જીવનને એકમહેંક
પારકીપાંખોનો સહવાસ તો,ના સાથ દે જીવનમાંછેક 
                         ………વાદળ વાદળ જોતાં જોતાં.

==============================

July 12th 2010

ભક્તિનો ટેકો

                       ભક્તિનો ટેકો

તાઃ૧૨/૭/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

બડાસ મારે બારણે આવી,ક્યારનીય ખખડાવે
જલાસાંઇની ભક્તિ સાચી,ના અંદર આવવાદે 
                ………..બડાસ મારે બારણે આવી.
કિર્તન સાંભળુ સવારમાં,ને મનથી સ્મરણ કરું
નાહી ધોઇને પવિત્રદેહે,સંતોને વંદન કરી લઉ
સુર્યોદયના પવિત્ર કિરણોને,અર્ચન કરવા જઉ
માળા કે ના મણકાની ચિંતા,મનથીહું ભજનકરું
મનને શાંન્તિ મળીજાય,જ્યાં આરતી કરી લઉ
                   ……….બડાસ મારે બારણે આવી.
કળીયુગમાં કદર થાય,જ્યાં દેખાવને પકડી લઉ
આવે દોડી મોહ આંગણે,ત્યાં મનથી હું  ડરી જઉ
બડાસની ના જરૂર દેહે,તેને હું બીજે મોકલી દઉ
નાજરૂર મારે મોહમાયાની,જે જીવને જકડે અહીં
આવે આંગણે શાંન્તિદોડી,જીવનેમુક્તિ દેવા ભઇ
                     ……….બડાસ મારે બારણે આવી.
મોહ તોછે દેહના બંધન,ને ભક્તિનો સંગ જીવથી
સાચી છે સંસારી ભક્તિ,દઇદે કર્મબંધનથી મુક્તિ
જીવને છે કર્મનાસંબંધ,નાકોઇ જીવથી એ છોડાય
નાણાં કે ના માયા પ્રભુને,એતો ભક્તિથીમેળવાય
જલાસાંઇનુ શરણુ લેતાં,જીવને મુક્તિ એજ દોરાય
                       ……….બડાસ મારે બારણે આવી.

============================

July 11th 2010

ઘંટાકર્ણ મહાવીર

 

 

 

 

 

 

                        ઘંટાકર્ણ મહાવીર

તાઃ૧૧/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલુ મહુડી એવું  છે ગામ,કે જે છે મહાવીરનું ભક્તિધામ
લેવાય જ્યાં ઘંટકર્ણનું નામ,ત્યાં થાયજીવના સઘળાકામ
                               ………..વ્હાલુ મહુડી એવું  છે ગામ.
દેહની ઉજ્વળતા દેખાય,સ્મરણ સવાર સાંજ  જ્યાં થાય
મુક્તિ જીવને મળીજાય,ને મળેલ જન્મ સફળ પણ થાય
કામધામનો નાઅણસાર,લેવાય જ્યાંમનથી તેમનુ નામ
નિર્મળ જીવન થતું જ જાય,ને પળપળ પણ મહેંકી જાય
                              ……….. વ્હાલુ મહુડી એવું  છે ગામ.
શ્રધ્ધાની જ્યાં જ્યોતજલે,ત્યાં સદા મહાવીરનો પ્રેમ મળે
યુગ કળીયુગનો અણસાર ત્યજે,ને પાવનજીવને રાહ દીસે
ભાગે ભુત અને પલીત,જ્યાંહોય ધંટાકર્ણ મહાવીરનું નામ
ઉજ્વળજીવન બને દેહનું,ના રહે કોઇ બંધન આ અવનીનું
                                ………..વ્હાલુ મહુડી એવું  છે ગામ.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

July 9th 2010

પ્રસંગ પ્રેમ

                          પ્રસંગ પ્રેમ

તાઃ૯/૭/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુનિયાના દરબારમાં માનવી,અહીંતહીં ક્યાંક ઘુમ્યા કરે
આજે આવશે કાલે આવશે,તેમ પ્રસંગની રાહ જોયા કરે
                         ……….દુનિયાના દરબારમાં માનવી.
જન્મ મળેલા જીવને જગતમાં,જન્મ દીવસની  યાદરહે
આવતા પ્રસંગની ઉજ્વળતામાં,સદા હૈયે પ્રેમ રહ્યા કરે
                         ……….દુનિયાના દરબારમાં માનવી.
બારાખડીના બંધન છુટતાં,ભણતરના સોપાન મળી જશે
ઉજ્વળ જીવનના સોપાનને જોતાં,ગ્રેજ્યુએશન યાદ રહે
                        ………..દુનિયાના દરબારમાં માનવી.
જુવાનીના જોશને જોતાં,કળીયુગનો સહવાસ મળી જશે
સંગાથીની શીતળતાં લેતાં જીવ,લગ્નતીથીએ લહેર કરે
                         ………..દુનિયાના દરબારમાં માનવી.
મળીજાય જ્યાં માયામનથી ,કુટુંબ કબીલાનો સાથ મળે
 આશીર્વાદની લહેર સંતાને દેતાં,જન્મદીવસનો પ્રેમદીસે
                       ………….દુનિયાના દરબારમાં માનવી.
જીવનની સરગમમાં રહેતાં,ઘણા સોપાન જીવનમાં હશે
લહીયાની લાયકાત મેળવતાં,શબ્દજગતમાં પ્રસંગમળે
                          ………..દુનિયાના દરબારમાં માનવી.
ઉંમરમાં સહવાસ લાકડીનો,જે દેહનો સાચોસંગાથ બન્યો
મળ્યા સાહિત્યનાસોપાન,જ્યાં વિજયભાઇનો સાથમળ્યો
                           …………દુનિયાના દરબારમાં માનવી.

+++++++++++++++++++++++++++++++++++

July 8th 2010

જગની માયા

                         જગની માયા

તાઃ૮/૭/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનની માયા મોકળી કરવા,પ્રભુ ભજન હું કરું
રામ શ્યામની સમજણ લેતાં,હૈયે શાંન્તિ હું ધરુ
                          …………મનની માયા મોકળી કરવા.
જીવનના સોપાનને સમજતાં,ના કોઇથી હું ડરું
પ્રેમની સાચી કેડી મળતાં,જીવનને ઉજ્વળ કરું
પ્રભુ ભક્તિનો સાથ હું  લેતાં,વ્યાધીઓથી બચું
ભાગે માયા મોહ જગતના,જ્યાં જલાસાંઇ ભજુ
                           …………મનની માયા મોકળી કરવા.
માળાનો જ્યાં સાથમળ્યો,ત્યાં મણકેમણકા ગણું
સ્નેહી શબ્દોની વર્ષા મેળવતાં,જીવે શાંન્તિ ધરું
યુગ યુગના બંધન છે જીવનાં,સુખદુઃખથી હું ડરું
મળે પ્રભુનીકૃપા દેહે,જ્યાં જલાસાંઇનો પ્રેમ મળે
                            …………મનની માયા મોકળી કરવા.

+++++++++++++++++++++++++++++++++

July 6th 2010

પુ.મોરારી બાપુને.

          સંત પુ.મોરારી બાપુના  

 

 

 

 

 

 ચરણે વંદન.

 તાઃ૭/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની અસીમકૃપા મળે,એવું જીવથી વિચારી ચાલુ
આશીર્વાદે આશા પુરણ થાય,એવા સંતછે પું. મોરારીબાપુ
                             ………પરમાત્માની અસીમ કૃપા મળે.
અવનીપરના આગમને આ સંતના.પિતા છે પ્રભુદાસ બાપુ
શિવરાત્રીએ જન્મતા માતાસાવિત્રીબાને મળ્યુતેમનુ માગ્યુ
દાદાના આશીર્વાદ મળતા,મળ્યા ભક્તિથી ઉજ્વળ સંસ્કાર
શિક્ષકનો વ્યવસાય મુકી,૧૯૬૬થી ખોલ્યા મુક્તિતણાએ દ્વાર
                        …………પરમાત્માની અસીમ કૃપા મળે.
કુદરતની કૃપા ગુજરાતપર,મળ્યા જલારામ ને મોરારીબાપુ
સંસારની કેડી પર ચાલતાં,રાહ બતાવી જીવન જીવવું સાચું
ભક્તિભાવને સંગે રાખી,કર્મબંધનથી જીવને મુક્તિએ દેનારુ
પધારજો મોરારીબાપુ ઘેરઅમારે,જીવોની મુક્તિરાહ હું માગુ
                           ……….પરમાત્માની અસીમ કૃપા મળે.
લેણદેણની સાંકળ જીવ સાથે,જ્યાં કર્મ તણા બંધનનો રંગ
પ્રદીપ,રમા,રવિ,દિપલ ને નિશીત,વંદે ભક્તિભાવને સંગ
કૃપા પરમાત્માનીમળે જીવે,જ્યાં સાચા સંતને વંદન થાય
ઉજ્વળ જીવનની લકીર લેવા,વિનંતી કરીએ બાપુને આજ
                          ………..પરમાત્માની અસીમ કૃપા મળે.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

        હિન્દુ ધર્મના સંત પુ.મોરારી બાપુને આ કાવ્ય અમારી પ્રભુ ભક્તિ
અને સાચી શ્રધ્ધાથી વંદન સહિત તેમના ચરણોમાં યાદગીરી રૂપે અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર.પુ.શકુબેનતથા પુ.સુરેશકુમારના વંદન.

હ્યુસ્ટન,ન્યુ જર્સી,યુ.એસ.એ.                      તાઃ૭મી જુલાઇ,૨૦૧૦

July 6th 2010

સંગનો રંગ

                               સંગનો રંગ

તાઃ૬/૭/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગી લીધું માનવી મનથી,જે લોભ મોહથી દેહે મેળવાય
જીવને ના સમજ કે સંગથી, જીંદગીનો રંગ બદલાઇ જાય
                               ………..માગી લીધું માનવી મનથી.
અવનીપર જે અવતરણ જીવના,તે જીવના બંધન કહેવાય
છુટી શકે ના કોઇ જગતમાં,હોય સાધુ કે સન્યાસી સમજાય
કર્મના બંધન સૌને વળગે,જે દેહ મળતા જગમાં ઓળખાય
શ્રધ્ધા અર્ચનને સાચીભક્તિ કરતાં,જીવને મુક્તિદ્વાર દેખાય
                                ………..માગી લીધું માનવી મનથી.
સંગ અને સહવાસ જીવનો,જે દેહ થકી જ જગમાં છે લેવાય
કોનો કેવો સંગ દેહને મળ્યો,તે તેના વર્તનથી જાણી લેવાય
મુક્તિમાર્ગને પારખી લેતાં,સાચી ભક્તિનો થઇજાય સહવાસ
રંગ નાલાગે મોહ માયાનો દેહે,જે વર્તનથી જગતમાં જોવાય
                               …………માગી લીધું માનવી મનથી.

==================================

July 5th 2010

એકલવાયુ

                         એકલવાયુ

તાઃ૫/૭/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં જીવને બાળ નેત્રે,નવુ નવુ જગ ભાસે
માયા મળતાં જીવનમાં,ઘડપણમાં એકલવાયુ લાગે
                          ………જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
અવનીપરના આગમને દેહને,માતાનો પ્રેમ મળી જાય
માબાપની લાગણી વરસીરહે,જે સંતાનથી અનુભવાય
ઉજ્વળ જીવન સંતાનના જોવા,સોપાનપણ બતાવાય
મળીજાય સંગાથ જગતમાં,ના એકલવાયુ જીવન થાય
                          ……….જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
સમય પારખી જીવનજીવતાં,અંતરમાંય આનંદ થાય
વર્ષો વર્ષને સમજી ચાલતાં,ના વ્યાધીઓ આંટી જાય
સમય લીલા ન્યારી એવી,જે ઉંમરથી દેહ પર દેખાય
વાણીવર્તનને સાચવીલેતાં,જીવનમાં સફળતા લેવાય
                        ……….જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
ઉંમર એ દેહનુ સ્પંદન છે,જે ના કોઇથી અળગુ કરાય
સમયચાલતા સાથેચાલે,જગમાં નાકોઇથીએ છોડાય
કળીયુગની આ લીલા એવી,જે સાચા સંબંધે દેખાય
અહંકારમાં ના સાચવતા,જીવન એકલવાયુ થઇજાય
                              ……..જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
=================================

July 4th 2010

સરળ જીવન

                           સરળ જીવન

તાઃ૪/૭/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માગું હું મોહ માયા,કે ના માગું કદી અભિમાન
પૃથ્વી પરના આગમને,હું ગાવુ ભક્તિના ગુણગાન 
                           …………ના માગું હુ મોહ માયા.
જન્મ મળતાં જીવને જગે,દેહ થકી સઘળુ જ દેખાય
નેત્ર દીધાછે પરમાત્માએ,અજુગતુ જોતાંએ ફેરવાય
માનવી મને મળી કૃપા,કે બુધ્ધિથી સઘળુ સમજાય
વિચારીને પગલુ ભરતાં,જીવનો જન્મસફળપણથાય
                               ……….ના માગું હુ મોહ માયા.
આગળ ચાલે વ્યાધી ત્યારે,ધીરજ નો લેતો સહવાસ
મહેનતના સોપાનો સંભાળી,ચાલતો ડગલાં હું બેચાર
ભક્તિપ્રેમના ટેકાએ,મળીજતો જલાસાંઇનો મનેસાથ
દેહને મળતા સરળ જીવનથી,જન્મસાર્થક થતો જાય
                             ……….ના માગું હુ મોહ માયા.

***************************************

« Previous PageNext Page »