July 4th 2010

કુદરતનો દંડો

                          કુદરતનો દંડો

તાઃ૪/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજણ સાચી માનવીસમજે,તોય જગમાં ફંદો થાય
અહંકાર ને અભિમાન જોતાં,કુદરતનો દંડો પડી જાય
                       ……..સમજણ સાચી માનવી સમજે.
મેઘનાવાદળ નિરખી ખેડુતો,ખેતરમાં હળ સાથે દેખાય
આવતા મેધનોસહવાસ મેળવી,જમીનપણ મહેંકીજાય
ન્યાય કુદરતનો સરળછે,જ્યાં દેહને દેખાવ ચોંટી જાય
અતિ વરસાદની ઝાપટ પડતાં,જળબંબાકાર થઇ જાય
                      ………..સમજણ સાચી માનવી સમજે.
માનવીમનની સરળબુધ્ધિ,જે જીવન ઉજ્વળ કરીજાય
કુદરતની દયાથી જગે માનવી,પાવન કર્મો કરી જાય
શીતળ પવનની લહેરમળે,જે જીવનને મહેંકાવી જાય
ઝડપ વધે જ્યાંપવનની ,ત્યાં ખેદાન મેદાન થઇજાય
                       ………સમજણ સાચી માનવી સમજે.
નિર્મળજીવન લાગે માનવીને,જ્યાં સુર્યનોઉદય થાય
પ્રકાશની પાવક જ્યોતમાં,દિવસ પણ મલકાઇ જાય
અતિનો સહવાસ મળે જ્યાં,સુર્ય કિરણોનો પૃથ્વી પર
અસહ્ય ગરમીની છત્રછાયામાં,ના માનવીથી જીવાય
                      ………સમજણ સાચી માનવી સમજે.

       ++++++++++++++++++++++++++++

July 3rd 2010

રમાનો જન્મદીવસ

                   રમાનો જન્મદીવસ

તાઃ૩/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉમંગ આવે હૈયે ત્યારે,નીજ આંખમાં અશ્રુ  ઉભરાય
ત્રીજી જુલાઇઆવેત્યારે,રમાનો જન્મદીવસ ઉજવાય
                                       ……….ઉમંગ આવે હૈયે ત્યારે.
બારાખડીથી બહાર નીકળતાં,ભણતર પકડાઇ જાય
પેન કાગળ હાથમાં આવતાં,જીવન ઉજ્વળ દેખાય
મેળવી પ્રેમ માબાપનો,રમાએ મેળવ્યા છે સોપાન
જીવન  સાથી મારી બનતાં,સંત જલાસાંઇ હરખાય
                                        ………ઉમંગ આવે હૈયે ત્યારે.
રવિ,દિપલને સંસ્કારદીધા,ને લીધો ભક્તિનોસંગાથ
જન્મ અમારો સાર્થક થશે,ને મળશે સતકર્મોની દોર
આણંદ છોડી હ્યુસ્ટન આવ્યા,આ છે લેણદેણની  જોડ
ભક્તિનો સંગાથ મળતાં,લાગે ખુલતાં મુક્તિના ડોર
                                      ……….. ઉમંગ આવે હૈયે ત્યારે.
જન્મદિનની શુભભાવના,લાવ્યા જલાસાંઇને શરણે
માગણી પરમાત્માનેચરણે,જીવને ભક્તિસાચી દેજો
માનવ જીવનની વ્યાધીઓને,ભક્તિથીજ ઉલેચીએ
ને આશીર્વાદમળે વડીલોના,જે જીવન ઉજ્વળ દઇદે
                                ……….. ઉમંગ આવે હૈયે ત્યારે.

***************************************

July 2nd 2010

સરગમ

                            સરગમ

તાઃ૨/૭/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી જાય જ્યાં સુર શબ્દને,ત્યાં મનડાં સૌ હરખાય
મધુર સ્વરની રેલી મળે,જગમાં સરગમ એ કહેવાય
                     ………મળી જાય જ્યાં સુર શબ્દને.
લખી લીધેલા શબ્દોને જગતમાં,આંખોથી જ વંચાય
નેત્રબિંદુ પર અસરપડતાં,માનવી અર્થ સમજીજાય
ના ટેકાની કોઇ જરૂર પડે,કેના કોઇથી એસમજાવાય
પરમાત્માની આ અજબલીલા,જે આંખોથીજ વંચાય
                    ……….મળી જાય જ્યાં સુર શબ્દને.
શબ્દસુરનો તાલ મળતાં,સૌને કાનથી એ સંભળાય
નાસ્પર્શ કે ન નેત્રની જરુરપડે,એ તાલથી સમજાય
જીવનની સરગમ નિરાળી,ના કોઇથીય એ પકડાય
સુખદુઃખએ બેશબ્દછે,જગતના સૌજીવોથી મેળવાય
                     ……….મળી જાય જ્યાં સુર શબ્દને.

     ++++++++++++++++++++++++++++++

July 2nd 2010

પ્રભુ પ્રેમ

                              પ્રભુ પ્રેમ

તાઃ૨/૭/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ જગતમાં પરમાત્માનો,ના માગણીએ મેળવાય
મોહમાયાના બંધનછોડતાં,સાચી ભક્તિએ મળીજાય
                        ……….પ્રેમ જગતમાં પરમાત્માનો.
ઉજ્વળજીવન પાવનકર્મ,જીવની સાચી ભક્તિનોમર્મ
મનથી કરેલી ભક્તિ પુંજા,જીવનમાં નારહે કોઇ દ્વીધા
મોહ તો છે આ દેહનાબંધન,અને માયા છે આજીવના
ક્યારે છુટે એ કોઇ નાજાણે,આ તો પરમાત્માની લીલા
                       ……….પ્રેમ જગતમાં પરમાત્માનો.
શીતળતાનો સહવાસ રહે,જ્યાં અભિમાનને ભગાડાય
દેખાવની દુનીયાનેછોડતાં,જીવને સદમતી મળીજાય
સહવાસમળે જ્યાં જલાસાંઇનો,ભક્તિની પ્રેરણા થાય
પાવનકર્મનો સંગ મળતાં જીવને,પ્રભુ પ્રેમ મેળવાય
                       ………..પ્રેમ જગતમાં પરમાત્માનો.
જગનીમાયા એ નીર ઝાંઝવાના,વ્હેણ ક્યારે બદલાય
કર્મબંધન જીવની સાથે,અવનીએ દેહ મળતાં દેખાય
મનથી થતી ભક્તિનીશક્તિ,જીવનેમુક્તિએ લઇ જાય
જન્મમરણના છુટે બંધન,કૃપાથી પ્રભુ પ્રેમ મળી જાય
                         ……….પ્રેમ જગતમાં પરમાત્માનો.

       ============================

July 1st 2010

કેટલો સમય?

                         કેટલો સમય?

તાઃ૧/૭/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય પુછતાં પહેલા વિચારો,કે તમે કેટલે આવ્યા
ના કોઇથીયએ રોકાયો,કે ના કોઇએ રોકી શકવાનું
                 ……….સમય પુછતાં પહેલા વિચારો.
જન્મ મરણની ચાદર નીચે,સૌ જગતમાં જીવવાના
અણસાર મળે જન્મનો,પણ મૃત્યુ નાજાણી શકવાના
                  ………સમય પુછતાં પહેલા વિચારો.
દેહ મળેલા જીવને માનવી,આંખથી એને જોવાનો
દ્રષ્ટિ એછે દેણપ્રભુની,જે દેહની ઉંમરે તો ઘટવાની
                  ………સમય પુછતાં પહેલા વિચારો.
સમય પારખી જીવન જીવતાં,હાથ ઉંચો રહેવાનો
ચુકી ગયો  જો માનવ,સમયે એ ભીખ માગવાનો
                 ………સમય પુછતાં પહેલા વિચારો.
દેહ મળે છે પ્રભુ કૃપાએ,સમજદાર એ સમજી લે
ના વ્યાધી આવે આંગણે,ના ઉપાધી અણસાર દે
                 ………સમય પુછતાં પહેલા વિચારો.
સત્કર્મોની સીડી મળે જીવને,જ્યાં ભક્તિપ્રેમે થાય
આવેઆંગણે જ્યાંપરમાત્મા,ત્યાં જીવમુક્તિએજાય
                 ………સમય પુછતાં પહેલા વિચારો.

++++++++++++++++++++++++++

July 1st 2010

एक लकीर

                    एक लकीर

ताः१/७/२०१०                       प्रदीप ब्रह्मभट्ट

करिश्मा कुदरतका अनोखा,नासमझ कोइ पाया है
प्रेमकी एक लकीर मीलनेपर,जीव जगपे आता है
                      ……….करिश्मा कुदरतका जगमें.
नाता है अवनी पे जीसका,जीव आके देह लेता है
कर्म के गहेरे बंधनको,इन्सान समझके जीता है
एकलकीर श्रध्धाऔरविश्वासकी,भक्तिप्रेम देजाती है
उज्वल महेंक जीवनमे, सृष्टिसे भी मील जाती है
                     ………..करिश्मा कुदरतका जगमें.
ना कोइ अपना या पराया,जन्म मरणका नाता है
कर्मका गहेरा बंधनजगमें,समझ नहीं कोइ पाया है
मिलती है महेंक जीवनमें,जब प्रभुकृपा होजाती है
नजरएक जलासांइकी,जीवको शांन्तिमीलने आतीहै 
                       ……….करिश्मा कुदरतका जगमें.

    ============================

July 1st 2010

ભક્તિસંગ

                            ભક્તિસંગ

તાઃ૧/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મતણા બંધનથી જગતમાં,જીવ અવતરણે લબદાય
સરળતાની સાંકળનેસમજતાં,પ્રભુ ભક્તિમાં વળીજાય
                          ……….કર્મતણા બંધનથી જગતમાં.
લાયકાત મળતાંજીવને,અવનીએ પ્રાણીપશુ જન્માય
આરો ચારો શોધીને જીવતા,જગે જન્મ પુરો થઇ જાય
કુદરતની આ લીલામાં જીવને,માનવજન્મ છે દેવાય
સમજ અને સમયને પારખી,કર્મે જન્મ સફળ લેવાય
                         ……….કર્મતણા બંધનથી જગતમાં.
દેહ મળે જ્યાં માનવનો,ત્યાં બાળપણે આનંદ થાય
પ્રેમ મળે વડીલોના જગે,તેને આશીર્વાદ છે કહેવાય
લાયકાતનુ બારણું ખોલતાંજ,સરળ જીવન થઇ જાય
ઉજ્વળજીવનનો અણસારમળતાં,જન્મ સફળ દેખાય
                         ……….કર્મતણા બંધનથી જગતમાં.
જન્મમરણ ના સંબંધ દેહને,જે છે ઉંમરનો અણસાર
કામ ક્રોધ અને મોહ છોડતાં,આ જન્મ સફળ દેખાય
મુક્તિ ના દ્વાર ખોલવા,ના કોઇ લાલચ મોહ રખાય
ભક્તિનોસંગ ઘરમાં જ લેતાં,જન્મ સફળ થઇ જાય
                        ………કર્મતણા બંધનથી જગતમાં.

==============================

« Previous Page