July 22nd 2010

વ્યાકુળ મન

                          વ્યાકુળ મન

તાઃ૨૨/૭/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરે ઝંઝટ બંઝટ છોડી જગતની,તને હું પરણી લઉં
આધી વ્યાધીને તોડવા તો,મારી જીંદગી વેડફી દઉ
                      ……અરે ઝંઝટ બંઝટ છોડી જગતની.
પ્રેમ મારો છે મોતી જેવો,અને ના તેમાં છે કોઇ ડાધો
ઘરના મારા સૌ રાજીજ છે,ને નાકોઇ લેશે તેમાં વાંધો
બારણે અમારે આવશે સાથે,ત્યાંપોંકશે કંકુચોખા સાથે
મમ્મી મારી તો માયાળુછે,ને પપ્પા તો પ્રેમનોદરીયો
                      …….અરે ઝંઝટ બંઝટ છોડી જગતની.
કલમ લીધી છે હાથમાં મારે,ને ખડીયો મુક્યો બાજુમાં
પ્રેમનો આપત્ર મારો છેલ્લો,ના રહેતી જગની લાજમાં
નાપરણી મને કે ના જોયો મારોપ્રેમ,બારણે ઉભો એમ
છેલ્લા શબ્દો કલમ લખશે,ના રાખીશ કોઇ તેમાં વ્હેમ
                     ……..અરે ઝંઝટ બંઝટ છોડી જગતની.

################################

July 21st 2010

મિલનની મધુરતા

                       મિલનની મધુરતા

તાઃ૨૧/૭/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પળપળ પારખી જીવતાં,જગમાં નિર્મળ જીવન થાય
પરમાત્માની દ્રષ્ટિ પડતાં તો,મધુર મિલન મેળવાય
                             ……… પળપળ પારખી જીવતાં.
જન્મનું બંધન જીવને જડે,જ્યાં લગી કર્મને સહેવાય
અજર અમર આ જીવને,દેહ મળતાં મૃત્યુ મળી જાય
નાશંકા ના કોઇ વિચાર,એતો જન્મ મળતાં સમજાય
કૃપાનેપાત્ર થતાં જગમાં,મળે જીવને મૃત્યુનાસોપાન
                             ………પળપળ પારખી જીવતાં.
આંગણુ એતો અણસાર છે,જ્યાં આગમન સૌના થાય
વાણી વર્તન ને વહેવારમળતાં,સમયેજ એ સમજાય
સાચોપ્રેમ પરમાત્માનો,જે સંત જલાસાંઇથી મેળવાય
મધુર મિલનના સહવાસમાં,તો ભક્તિસાચી મળીજાય
                           ………..પળપળ પારખી જીવતાં.

+++++++++++++++++++++++++++++

July 20th 2010

જીવના બંધન

                      જીવના બંધન

તાઃ૨૦/૭/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની એકેય લકીર,ના કોઇથી ય જોવાય
કળીયુગી કરુણામાં જીવે તોય,ના તેમાંથી ફંટાય
                      ………પરમાત્માની એકેય લકીર.
મળેલ જીવના સંબંધને,ના દેહે કોઇથીય પરખાય
રાજા,રંક,ફકીર કે તવંગર,માનવદેહે ના સમજાય
મૃત્યુ ને મુક્તિના બંધન,જીવને દેહે જ મળી જાય
આ પરમાત્માની અકળલીલા,ના મંદીરે મેળવાય
                      ………પરમાત્માની એકેય લકીર.
જન્મ મળ્યો જ્યાં જીવને,ના કોઇથીએ ઓળખાય
સમયનીગાડી ચાલતાં,જીવને ધીરજથી સમજાય
આગમન વિદાયની કેડી પાકી,ના કોઇથી છોડાય
મુક્તિના બારણાં ખુલતાં,જીવનાબંધન છુટી જાય
                     ……….પરમાત્માની એકેય લકીર.

===============================

July 19th 2010

અજબ ગજબ

                        અજબ ગજબ

તાઃ૧૯/૭/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ આ દુનીયા છે,ગજબ આ ધરતી છે
અજબ આ કુદરત છે,ગજબ આ સાગર  છે

અજબ આ આકાશ છે,ગજબ આ તારલા છે
અજબ આ પ્રેમ જ છે,ગજબ આ ડંડો પણ છે
અજબ આ મેઘનાદ છે,ગજબ આ ગર્જના છે
અજબ આ વિજળી છે,ગજબ આ વરસાદ છે

અજબ આ માનવી છે,ગજબ આ દાનવ છે
અજબ આ ભક્તિ છે,ગજબ આ એની શક્તિછે 
અજબ આ કલમ છે,ગજબ આ એની લીલા છે
અજબ એ અજબ જ છે,ગજબ એ ગાયબ પણછે

@@@@@@@@@@@@@@@@@@@

July 19th 2010

કર્મના સંબંધ

                            કર્મના સંબંધ

તાઃ૧૯/૭/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજર,અમર ને અકળલીલા,ના કોઇથીય એ પરખાય
મળતાદેહ અવનીએ જીવને,કર્મના સંબંધ છે સમજાય
                         …………અજર,અમર ને અકળલીલા.
પરમાત્મા તો છે પરમ કૃપાળુ,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
શરીરના સંબંધ તો દેહથી,ક્યારે ક્યાં ક્યાંથી મળી જાય
અગમ નિગમના ભેદ ભ્રમમાં,માનવી તો અટવાઇ જાય
સંગ રાખતા માનવતાનો જીવે,જગે પાવનકર્મ  જ થાય
                           ………..અજર,અમર ને અકળલીલા.
પ્રાણી માત્ર દયાને પાત્ર જગતમાં,નિરાધાર એ કહેવાય
સંગે સ્નેહ ને પ્રેમરાખતાં,માનવતાએ સાચો પ્રેમ દેવાય
કર્મ કરેલા જગતમાં જીવે,ના મિથ્યા કોઇથીય એ કરાય
સંબંધ કર્મના આવે સંગે,જે સાચવવા જન્મ સાર્થક થાય
                          ………..અજર,અમર ને અકળલીલા.

+++++++++++++++++++++++++++++++++

July 18th 2010

સવારની સરળતા

                      સવારની સરળતા

તાઃ૧૮/૭/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મીઠી મહેંક ધરતીની આવે,ને સુર્ય કિરણ સહવાય
ઉજ્વળ પ્રભાતના કિરણોથી,સવાર સરળ થઇજાય
                      ………..મીઠી મહેંક ધરતીની આવે.
મંદ પવનની લહેર મળે,ને પંખી કલરવ સંભળાય
આંખોને ઉજાસ મળે ધરતીએ,જે દેહથી અનુભવાય
મળે શાંન્તિ માનવ મનને,જે પ્રભુ કૃપાએ મેળવાય
જીવને મળે અનંત આનંદ,જે  ના શબ્દોથી કહેવાય
                      ………. મીઠી મહેંક ધરતીની આવે.
દેહે પડતાં પ્રભાત કિરણે,સુર્યના સ્પંદન મળી જાય
હૈયે મળતી જ્યોત આનંદની,ના દીવાથી મેળવાય
સુગંધ પ્રસરેપ્રેમની માનવીએ,જીવથીજ એ લેવાય
મળીજાય જ્યાં ટાઢકદેહને,ત્યાં પ્રભાત ઉજ્વળ થાય
                       ………..મીઠી મહેંક ધરતીની આવે.

===============================

July 17th 2010

ભાવથી ભક્તિ

                      ભાવથી  ભક્તિ

તાઃ૧૭/૭/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ કરી જ્યાં ભાવથી,ત્યાં જીવને શાંતિ મળી ગઇ
લાગણી પ્રેમ ને હેત જોતાં,જીંદગી ઉજ્વળ થતી જોઇ
                           ………..ભક્તિ કરી જ્યાં ભાવથી.
નિત્યસવારે અર્ચનકરતાં,ધુપકરતો દીવો હાથમાંલઇ
મનથી માગતો મનનીશાંન્તિ,ને વંદન કરતો હુંઅહીં
જલાસાંઇને તિલક કરતાં,જીવની મુક્તિ માગતો ભઇ
આશિર્વાદનો અણસારમળતાં,જીવેશાંન્તિ અદભુતથઇ
                           ……….ભક્તિ કરી જ્યાં ભાવથી.
જલાબાવની ને સાંઇધુનથી,ખુશ રહેતો ઘરમંદીરે ભઇ
કૃપાનો સહવાસ મળતાં,સૌ કામ સરળ થાય છે અહીં
દુનીયાની ના ચિંતા રહેતી,એ બારણેથી ભાગતી થઇ
મનની શાંન્તિને જીવની મુક્તિ,ભક્તિથી જોવાઇ ગઇ
                          ………..ભક્તિ કરી જ્યાં ભાવથી.

================================

July 16th 2010

કુળની કૃપા

                           કુળની કૃપા

તાઃ૧૬/૭/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કાર જેનુ સિંચન છે,ને માબાપ એનો અરીસો
બ્રહ્મભટ્ટ એવુ કુળ જગતમાં,મેળવે એપ્રેમ અનેરો
                           ……….સંસ્કાર જેનુ સિંચન છે.
દેહ મળતા જીવને સંસારે,માગાયત્રીનુ જ્ઞાન મળે
જનોઇનો સહવાસ મળતાં,પવિત્રતા એદેહને મળે
પુંજનઅર્ચનના સંસ્કારથી,મોહમાયાના બંધન તુટે
મા સરસ્વતીની પુંજાથી જ,જ્ઞાનની ગંગા જીભેવહે
                             ……….સંસ્કાર જેનુ સિંચન છે.
પ્રભાત પહોરે પુંજાકરતાં,સુર્યનારાયણની કૃપા મળે
અર્ચનાએ પુષ્પ અર્પણ કરતાં,કુદરત પ્રેમ મળી રહે
વંદન મા સરસ્વતીને કરતાં,જીભે માનો વાસ મળે
સહયાત્રીના સહવાસે જીવનમાં,જગે વાહ વાહ મળે
                             ………..સંસ્કાર જેનુ સિંચન છે.
અભિમાન ને ઓવારે મુકતાં,માયા સૌની મળી રહે
અહંકારને અર્પણ કરતાં,મોહ જીવના જગે ઘણા છુટે
મારું તારું દુર ભાગતા,આંગણે પ્રેમ આવી ઉભો રહે
જન્મ સફળ થઇ જાય જીવનો,જેમાં સૌની મતી રહે
                             ……….સંસ્કાર જેનુ સિંચન છે.

==============================

July 15th 2010

મળેલી પ્રેરણા

                      મળેલી પ્રેરણા

તાઃ૧૫/૭/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

લહીયાઓના લેખ વાંચતાં,ભઇ લખાઇ ગયુ છે કંઇક
માનવીની આ માનવતાએ,સર્જન થઇ રહ્યુ છે અહીં
                        ……….. લહીયાઓના લેખ વાંચતાં.
બારાખડીના ભણતરમાં,ક ખ બોલતાં ગ ને ભુલતો તઇ
માસ્તર સાહેબની લાકડી પડતાં,હું અંગુઠા પકડતો ભઇ
                         ……….. લહીયાઓના લેખ વાંચતાં.
એકબે પછી ત્રણચાર શીખ્યો,ત્યાં મારી મમ્મી ખુશ થઇ
મને ભણતો જોતા મારા પિતાને,હૈયે ટાઢક આવીજ ગઇ
                            ……….લહીયાઓના લેખ વાંચતાં.
જીંદગીની આ ચાલતી ગાડી,હવે પાટા પર દોડતી થઇ
ભણતરની સીડી જોતાં વિચાર્યુ,મારે સોપાન ચઢવાભઇ
                           ………..લહીયાઓના લેખ વાંચતાં.
સંસ્કાર સિંચન માબાપથી,ને મહેનતથી ભણતર મળ્યુ
આવી ઉભા અમે મુકામપર,જ્યાં પરદેશીનુ નામ મળ્યું
                           ………. લહીયાઓના લેખ વાંચતાં.
સમયને નાપકડાય કોઇથી,પણ મહેનતે થોડો સાથ દે
સોપાન જીવનના સરળજોતા,મન લખવાનુવિચારી લે
                           ………..લહીયાઓના લેખ વાંચતાં.
કદમ કદમને સમજતાં,તો ચાલી ગાડી નાઅટકી અહીં
એક એકની સરળતા મળતા,સૌનો સાથ લેતી એ થઇ
                            ……….લહીયાઓના લેખ વાંચતાં.
લેખન વાંચનની નાની ટેવ,આવી સાથે મારી એ છેક
સાથમળતાં લહીયાઓનો,જીવને મળીગઇ જ્યોત એક
                            ………લહીયાઓના લેખ વાંચતાં.
એક બે ગણતાં વિશાળ કુટુંબ,સર્જનતાય  મળી ગઇ
મોહમાયાના બંધન છોડી,GSSનેમજબુત કરતી થઇ
                           ……….લહીયાઓના લેખ વાંચતાં.

===============================

July 14th 2010

મળેલ દેહ

                               મળેલ દેહ

તાઃ૧૪/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી જાણી જીવતા જીવને,જગતમાં કેડી મળી જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,જીવનો જન્મસફળ થઇ જાય
                            ……….જીંદગી જાણી જીવતા જીવને.
દેહ મળે જ્યાં હિન્દુમાં જીવને,ત્યાં મંદીરે પ્રાર્થના કરાય
સવાર સાંજનો ખ્યાલ રાખીને,પ્રભુને ચરણે વંદન થાય
સુખદુઃખનો સહવાસ દેહને,જે અન્નઆચમને જ મેળવાય
શરણું સાચુ પ્રભુ રામનું લેતા,મળેલ દેહનો ઉધ્ધાર થાય
                            ……….જીંદગી જાણી જીવતા જીવને.
મુસ્લીમ કુળમાં જન્મ મળતાં,દેહે અલ્લાહનુ સ્મરણ થાય
પરવરદીગારની કૃપા મેળવવા,બંદગી મસ્જીદે પોકારાય
રહેમ નજર જ્યાં પડે  દેહ પર,જીવને શાંન્તિ મળી જાય
ઉજ્વળ જીવન મળેજીવને,ત્યાં દેહનો જન્મ સફળ દેખાય
                            ……….જીંદગી જાણી જીવતા જીવને.
બારણા ખોલી ચર્ચના દેહે,જ્યાં ઇસુ ખ્રિસ્તના ચરણે જાય
જન્મે મળેલ ખ્રિસ્તી ધર્મ,પાવન બાઇબલ પઠનથી થાય
સહન કરેલા સંસારના સુખદુઃખ,જે  ઇસુના દેહથી દેખાય
દેહને મળતી સાર્થકતા જગતમાં,સાચી શ્રધ્ધાથી ટેકાય
                              ……..જીંદગી જાણી જીવતા જીવને.
દુનીયાતો એક ડંડો છે,જે જીવને જન્મ મળતાં જ દેખાય
ભક્તિના સહવાસને સાથે રાખતાં,જીવ ડંડાથી બચી જાય
પ્રાણી પશુ એ નિરાધારી દેહ,અહીં તહીં ભટકી પુર્ણ થાય
માનવ જન્મ સફળતાની દોરી,સાચી ભક્તિ એજ પકડાય
                            ……….જીંદગી જાણી જીવતા જીવને.

***************************************

« Previous PageNext Page »