September 11th 2011

સદગુણ

.                       સદગુણ

તાઃ૧૧/૯/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને સંબંધ છે દેહથી અવનીએ,ને દેહનો છે મોહમાયા
કાયાની કરામત અગણિત છે,જેને સદગુણોથી સચવાયા
.                     ………..જીવને સંબંધ છે દેહથી અવનીએ.
ક્યાંક ઉભરો આવે માયાનો,ત્યાં અતિપ્રે મપણ થઈ જાય
સમજી વિચારી પગલુ ભરતાં,આવેલ ઉભરો  અટકી જાય
જીવનના છે બે ચાર દીન,પરમાત્માની કૃપા એ સમજાય
પારખી લેતાં પળ પળ દેહે,જીવને સદગુણ સમજાઇ જાય
.                    ………….જીવને સંબંધ છે દેહથી અવનીએ.
સવાર,બપોર ને સાંજ સમજાય,જ્યાં દોર સાચી મેળવાય
અવની પરના આગમનને પારખતાં,કર્મ બંધન સમજાય
મુક્તિ કેરી દોર મેળવવા જીવને,મળે છે  ભક્તિનો રણકાર
સદગુણથી એ સમજાઇ જાય,ત્યાં ખુલી જાય મુક્તિનાદ્વાર
.                     ………….જીવને સંબંધ છે દેહથી અવનીએ.

*********************************************

September 11th 2011

જીવનો ઉજાસ

.                     જીવનો ઉજાસ

તાઃ૧૧/૯/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

હસતી રમતી જીંદગી જોઇને,મન મારુ ખુબ મલકાય
મળે પ્રેમ જગતમાં જ્યાંસૌનો,ત્યાં જીવ પાવન થાય.
.                          ………..હસતી રમતી જીંદગી જોઇને.
અવનીપરના આગમનને તો,પારખી શક્યુ છે ના કોઇ
કુદરતની કરામત એવી,જીવને જન્મ મળતા સમજાય
કર્મબંધન જન્મને ખેંચે અવનીએ,ના કોઇથીય છટકાય
દરીયો ખુદી કિનારે આવતાં,નદીમાં એ ફસાઇ જ જાય
.                           ………..હસતી રમતી જીંદગી જોઇને.
ગતિકર્મની સમજાઇ જાય,જ્યાં પાવનભક્તિ થઈ જાય
બંધ આંખે દર્શન કરતાં,જગત પિતાનો પ્રેમ મળી જાય
આવી અંતરમાં મળે શાંન્તિ,ત્યાં જ પ્રભુ કૃપા મેળવાય
ના મોહમાયા પણ અડકે દેહને,જ્યાં જલાસાંઇને ભજાય
.                         ………….હસતી રમતી જીંદગી જોઇને.

++++++++++++++++++++++++++++++++++++

September 9th 2011

કર્મની પકડ

.               કર્મની પકડ

તાઃ૯/૯/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી ચાલતા પાવનકર્મ,મનમંદીર ખુલી જાય
પરમાત્માની દ્રષ્ટિ પડતાં,જન્મ સફળ થઈ જાય
.                 ……………પકડી ચાલતા પાવન કર્મ.
કીર્તન ભક્તિ સહજ ભાવના,માળાથી મહેંકી જાય
મનથી કરેલ પ્રભુ ભક્તિ જ,જીવને એ તારી જાય
મોહમાયાના બંધન છુટતાં,માનવી મન હરખાય
આવીપ્રેમ મળે જલાસાંઇનો,આજન્મ સાર્થક થાય
.                     …………પકડી ચાલતા પાવન કર્મ.
ભક્તિની આ સાંકળ ન્યારી,ના કોઇનેય જકડી જાય
પ્રભુ કૃપાને પામવા કાજે,જીવ એને પકડવાને જાય
મળી જાય એક કડી જીવને,ભટકતો દેહ અટકી જાય
મળે મુક્તિ માગતા દેહે,આમાનવ જન્મ મહેંકી જાય
.                     ………….પકડી ચાલતા પાવન કર્મ.

================================

September 8th 2011

ગુરુજી

.

.

.

.

.

.

.

.                         ગુરુજી

તાઃ૮/૯/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાનો મળે માર્ગ,જે જીવનો જન્મ સફળ કરી જાય
નિર્મળરાહે આંગળી ચીંધતા ગુરુજી,મુક્તિમાર્ગે દોરીજાય.
.                             …………….માનવતાનો મળે માર્ગ.
જન્મ મળતાં જીવને અવનીએ,નિશ્વાર્થ ભાવનાજ દેખાય
સહવાસ મળતાં જીવનમાં,અવનીએ આંટીઘુટી સમજાય
મળતી માયાની સાચી કેડી,ત્યાં મોહ પણ ભાગી જ જાય
શીતળતાની સવાર મળે જીવે,જ્યાં ગુરુભક્તિ સાચીથાય
.                                 …………..માનવતાનો મળે માર્ગ.
સંત જલારામે ઝંઝટછોડી,ને વિરબાઇ માતાએ છોડ્યા મોહ
ભક્તિ લીધી ગુરુ ભોજલરામથી,ને દઈ દીધી ભક્તિની દોર
કાયાનીમાયા મુકતાં માળીયે,જ્યાં અન્નદાનની લીધી પ્રીત
માર્ગ લઈ માનવતાનો વિરપુરમાં,ભક્તિ દોરની દીધી રીત
.                                  …………..માનવતાનો મળે માર્ગ.
+++++++++++++++++++++++++++++++++++=

September 7th 2011

કાગડાની ડાળ

.                 . કાગડાની ડાળ

તાઃ૭/૯/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની સરળ છે કેડી,જ્યાં સાચી ભક્તિપ્રીત થઈ જાય
મળતી માયામોહની સીડી,જ્યાં કાગડાની ડાળને પકડાય
.                                ……………જીવનની સરળ છે કેડી.
સંતોષ મળે છે જીવને દેહે,જ્યાં અપેક્ષાઓજ છુટતી જાય
પ્રેમ પ્રીતની અમિ દ્રષ્ટિય પડે,જ્યાં વડીલને વંદન થાય
સહારો જીવને મળે જલાસાંઇનો,ના વ્યાધી કોઇ અથડાય
નાડાળ પડે કે આદેહ પણ પડે,જ્યાં શ્રીજલાસાંઇ હરખાય
.                              ……………..જીવનની સરળ છે કેડી.
મૃત્યુ ને છે દેહનો સંબંધ અવનીએ,ના જીવ કદીય ફસાય
મુક્તિ એ પ્રીત પરમાત્માની,જે સાચી ભક્તિએ મેળવાય
જ્યાં સમયને પકડી કાગડો ઉડતાં,ના ધરતી પર પટકાય
ઉજ્વળજીવન ને શીતળભક્તિ,નિર્મળ ભાવનાએમેળવાય
.                                ……………જીવનની સરળ છે કેડી.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

September 6th 2011

ભક્તિની ભીખ

.                   ભક્તિની ભીખ

તાઃ૬/૯/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી મનને મળતી શાંન્તિ,ને સાચી શ્રધ્ધા ભાવના ફળતી
મોહમાયાના કંગન છુટતાં,ના ભક્તિની ભીખ માગવી પડતી
.                              ………….આવી મનને મળતી શાંન્તિ.
વાણી વર્તન તો દેહના બંધન,કદીક દઈદે એ જીવને સ્પંદન
માગણી એતો મોહની છે કેડી,જીવને લે છે એ દેહથીજ જકડી
મળીજાય માનવતાએ પ્રેમ જીવનમાં,દેહ ઉજ્વળ થઈ જાય
ના માગવીપડે કોઇભીખ જીવનમાં,જ્યાં ભક્તિપ્રેમ મેળવાય.
.                               ………….આવી મનને મળતી શાંન્તિ.
આવ્યા અવનીપર દેહ ધરી માનવનો,મુક્તિમાર્ગ એ દેનારો
સાચી  રાહ મળે જીવનમાં,જ્યાં જલાસાંઇની ભક્તિનો  મેળો
આવી આંગણે પ્રેમ મળે પ્રભુરામનો,નાશંકા તેમાં કોઇ મનને
મળી જાય જીવને માર્ગ મુક્તિનો,જ્યાં સંગ સાચો છે ભક્તિનો
.                             ………….આવી મનને મળતી શાંન્તિ.

*******************************************

September 5th 2011

ચોધાર આંસું

.                 .ચોધાર આંસું

તાઃ૫/૯/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શિતળ સ્નેહની જ્યોતને,જીવનમાં માણી લેછે પળવાર
હ્ર્દયપ્રેમની રીત નિરાળી,એ ચોધાર આંસુંએ વહીજાય.
.                           ……………શિતળ સ્નેહની જ્યોતને.
મળતાં મળેલ પ્રીતને જગતમાં,મળ્યાની પ્રીત કહેવાય
ક્યારે અટકે એ જીવનમાં,ના કોઇથી ક્યારેય એપરખાય
સગાસંબંધીના હેતને મેળવતાં,પ્રસંગ પાવન થઈ જાય
વિદાય દેતા એ અવસરથી,ક્યારેક ભુતકાળ કહી જવાય
.                           ……………શિતળ સ્નેહની જ્યોતને.
આંખને મળે જીંદગીમાં,અનેક પ્રકારના આંસુના સોપાન
ખુશીના આંસુ એ સમયથી ચાલે,જે ઘડીક પછીજ ભુલાય
સફળતાનો જ્યાં સાથ મળે,ત્યાં આનંદના આંસુ મેળવાય
વજ્ર ઘા પડે જ્યાં હ્રદયપર,ચોધાર આંસું નાકોઇથી રોકાય
.                           …………….શિતળ સ્નેહની જ્યોતને.

+++++++++++===========+++++++++++

September 4th 2011

આંખ મારી

.                    .આંખ મારી

તાઃ૪/૯/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ આંખ તો મારીજ છે,ના આંખ કોઇનેય મેં મારી
કુદરતને  હું નિરખી જાણું,ના કોઇને ક્યાંય એવાગી
.                          ………….આ આંખ તો મારી જ છે.
સરળ સ્નેહની સાંકળ મળે,જ્યાં સઘળુય સરળ દેખાય
પાવન કર્મને નિરખી પારખતાં,ના માગેલુ મળી જાય
સરળસૃષ્ટિની રચનાજોતાં,આંખે ટાઢક પણ થઈ જાય
મારી આંખોને પાવનદ્રષ્ટિ,સંતોની સેવાએ મળી જાય
.                           ………….આ આંખ તો મારી જ છે.
કળીયુગ કેરી રાહે ચાલતાં,ક્યાંક આંખ મારી જવાય
જ્યાંપડે પકડેલ ડંડો બરડે,ત્યાંદોષ આંખોનો કહેવાય
દેહનેમળતાં ઉંમરનોસંગ,આંખ બંધ ઉઘાડ પણ થાય
ના મનની કોઇ ભાવના ઇચ્છા,તોય આંખ મારી જાય
.                         …………….આ આંખ તો મારી જ છે.

++++++++++++++++++++++++++++++++++

September 4th 2011

કોણ,ક્યારે આવે?

.                      .કોણ,ક્યારે આવે?

તાઃ૪/૯/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતમાં મળેલ જન્મને હંમેશા અપેક્ષા જ હોય છે.

*મારા ઘરવાળા ક્યારે આવશે?
*મારી વહુ ક્યારે આવશે?
*મારે સંતાન ક્યારે આવશે?
*મારી દીકરી ક્યારે આવશે?
*મારું ભણતર ક્યારે પુરૂ થશે?
*મને નોકરી ક્યારે મળશે?
*મને સારા મિત્ર ક્યારે મળશે?
*મને પૈસા ક્યારે મળશે?
*મને સુખ ક્યારે મળશે?
*મારી મા ક્યારે રાજી થશે?
*મારા પપ્પા મને ક્યારે વ્હાલ કરશે?
*મારી દીકરીને સંતાન ક્યારે આવશે?
*મારા દીકરાની વહુ કેવી આવશે?
*મારા પડોશી ક્યારે સારા આવશે?
*મને મનની શંન્તિ ક્યારે મળશે?
*મારે ત્યાં સાચા સંત ક્યારે આવશે?
*મારાથી માયા ક્યારે છુટશે?
*મને નિખાલસ પ્રેમ ક્યારે મળશે?
*મારી જીભ ક્યારે સચવાશે?
*મારી લાગણી ક્યારે સમજાશે?
*મારી મહેનતનુ ફળ ક્યારે મળશે?
*મને મા સરસ્વતીની કૃપા ક્યારે મળશે?
*****અને
…………. મને મોક્ષ ક્યારે મળશે?

September 3rd 2011

આજકાલ

.                          .આજકાલ

તાઃ૩/૯/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલની ભઈ રામાયણ,જ્યાં બુધ્ધિજ અટકી જાય
પડે સપાટો જ્યાં ઇશ્વરનો,ત્યાં સધળુજ સમજાઇ જાય
.                       ………….આજકાલની ભઈ રામાયણ.
એક ડગલુ ભરતાં સમજે એમ,ચાર ડગલાં ચાલી જાય
નાનીનાની કેડીઓથી જીવનમાં,નાસફળતા મેળવાય
મનથી કરેલ મહેનત નિરાળી,પ્રેમભાવના મળી જાય
ગઈકાલને ભુલી જતાં જીવનમાં,આજને માણી જવાય
.                      …………..આજકાલની ભઈ રામાયણ.
હિંમતરાખી હૈયે જીવન જીવતાં,સાથ સૌનો મળી જાય
આવતીકાલને પારખીલેતાં,અધોગતીથી બચી જવાય
કુદરતની આ કલમ ન્યારી,જે સમજદારથી જ વંચાય
પારખી લેતાં પગલાં આજે,કાલની વ્યાધી ચાલી જાય
.                     …………..આજકાલની ભઈ રામાયણ.

===================================

« Previous PageNext Page »