October 8th 2011

એંધાણ

.                       એંધાણ.

તાઃ૮/૧૦/૨૦૧૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવી મનને મોકળાશ મળે,જ્યાં ડગલાંએ વિચારાય
કુદરતની આ સરળકેડી છે એવી,જે એંધાણ આપી જાય
.                     …………..માનવી મનને મોકળાશ મળે.
પ્રભુ પ્રેમને પામવાને જગતમાં,જીવ ભક્તિએ દોરાય
મળે સાચોમાર્ગ જીવને,જે પામર માનવી મેળવીજાય
જન્મ સફળ છે કર્મ સંગે,એ વાણીવર્તનથીજ સમજાય
મળે સાચોપ્રેમ પ્રભુનોજીવને,ભક્તિકર્મથી બંધાઇ જાય
.                     …………..માનવી મનને મોકળાશ મળે.
તાંતણો એક મળે પવિત્ર,જે દેહને ભક્તિએ ખેંચી જાય
પળપળને પકડાવી દઈને,જીવને સદમાર્ગે દોરી જાય
માબાપને એંધાણ મળે સંતાનના,જે વર્તનથી દેખાય
હાયબાયની એકજ કેડી જોતાં,સધળુય સમજાઇ જાય
.                     …………..માનવી મનને મોકળાશ મળે.

+++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment