એંધાણ
. એંધાણ.
તાઃ૮/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવી મનને મોકળાશ મળે,જ્યાં ડગલાંએ વિચારાય
કુદરતની આ સરળકેડી છે એવી,જે એંધાણ આપી જાય
. …………..માનવી મનને મોકળાશ મળે.
પ્રભુ પ્રેમને પામવાને જગતમાં,જીવ ભક્તિએ દોરાય
મળે સાચોમાર્ગ જીવને,જે પામર માનવી મેળવીજાય
જન્મ સફળ છે કર્મ સંગે,એ વાણીવર્તનથીજ સમજાય
મળે સાચોપ્રેમ પ્રભુનોજીવને,ભક્તિકર્મથી બંધાઇ જાય
. …………..માનવી મનને મોકળાશ મળે.
તાંતણો એક મળે પવિત્ર,જે દેહને ભક્તિએ ખેંચી જાય
પળપળને પકડાવી દઈને,જીવને સદમાર્ગે દોરી જાય
માબાપને એંધાણ મળે સંતાનના,જે વર્તનથી દેખાય
હાયબાયની એકજ કેડી જોતાં,સધળુય સમજાઇ જાય
. …………..માનવી મનને મોકળાશ મળે.
+++++++++++++++++++++++++++++++++++++