July 31st 2013

ભક્તિરાહ

.                 . ભક્તિરાહ           

તાઃ૩૧/૭/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન ભક્તિનો સંગ નિરાળો,શ્રધ્ધાપ્રેમથી સમજાય
મળે કૃપા પરમાત્માની જીવને,એ લાયકાત કહેવાય
.            ………………….ભજન ભક્તિનો સંગ નિરાળો.
મનથી માળા કરતાં પ્રભુની,જીવનમાં શાંન્તિ થાય
ઉજ્વળતાની કેડી મળતા,આ જન્મ સફળ થઇ જાય
મોહમાયાની કાતરછુટે,જ્યાં ભજન ભાવનાથી થાય
શ્રધ્ધા સાચી મનમાં રાખતાં,પ્રભુ કૃપાય મળી જાય
.          ……………………ભજન ભક્તિનો સંગ નિરાળો.
મૃત્યુની ના કોઇ  ચિંતા દેહને,જ્યાં માનવતા મેળવાય
જલાસાંઇની દીધેલ રાહે,માનવી માનવીને મળી જાય
પ્રેમનીવર્ષા જીવનમાં પડતા,જીવને શાંન્તિ થઈ જાય
ભક્તિરાહ મળતા જીવનમાં,ના આધીવ્યાધી અથડાય
.           ……………………ભજન ભક્તિનો સંગ નિરાળો.

=====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment