June 1st 2017
. .કુદરતની કરામત
તાઃ૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી છે જગતમાં,જેને સમજણથી કુદરત કહેવાય
અવનીપર મંદીર જતા પગેલાગીને,પથ્થર કે ફોટાને પ્રભુ કહેવાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
પરકૃપાળુ પરમાત્મા જેઅનેક રૂપે,અવનીએઆવી વિદાય લઈ જાય
લીધેલ દેહથી જગતમાં જીવન જીવવાની,એ પવિત્રરાહ આપી જાય
પવિત્ર ભુમી એ ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય
સંસ્કારની શીતળ કેડીએ, માનવ દેહની જ્યોત સમયે પ્રગટી જાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
કુદરતની આ કરામત છે જગતમાં,જે અબજો વર્ષોથી સ્પર્શી જાય
મળેલદેહ એ કર્મના બંધન છે જીવના,જગતમાં ના કોઇથી છટકાય
નિર્મળભાવનાએ જીવન જીવતા,પ્રભુકૃપાએ કર્મનાબંધન છુટતા જાય
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં જલાસાંઇથી પાવનરાહ મેળવાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
=======================================================
No comments yet.