June 15th 2017

જય ગંગામૈયા


.          .જય ગંગામૈયા

તાઃ૧૫/૬/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રરાહ મળે દેહને અવનીએ,જ્યાં મા ગંગામૈયાને વંદન થાય
પરમાત્મા ભોલેનાથની કૃપાએ,ગંગામૈયા અવનીપર અવતરી જાય.
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
અર્ચના કરી શ્રધ્ધાએ વંદન કરતા,માતાની કૃપાની વર્ષા થઈ જાય
મળેલ જન્મને પવિત્રરાહ મળે,જીવને પરમાત્માની કૃપા મળી જાય
પાવનરાહે જીવનમાં ચાલતા જ,ના કદી કોઇ આફત સ્પર્શી જાય
માનવજીવન એછે કર્મનાબંધન,જે ગંગામૈયાની કૃપાએ છુટી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
ૐ નમઃ શિવાયના પ્રભાતના સ્મરણે,મા ગંગાની અમૃત વર્ષા થાય
પવિત્ર જીવન ને પવિત્રશ્રધ્ધા,એજ પાવનકર્મ જીવનમાં કરાઇ જાય
મળે માનવદેહ પર કૃપા ભોલેનાથની,મળેલ જન્મ સફળ થઈ જાય
એજ કૃપા મા ગંગામૈયાની અવનીએ,જે જીવનને પાવન કરી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
======================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment