December 31st 2020

કુદરતલીલા

.            .કુદરતલીલા              
તાઃ૩૧/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પાવનરાહ મળે માનવીને જીવનમાં,જે દેહને મળેલ સંબંધથી દેખાય
કર્મધર્મને સમજી ચાલતા કૃપા મળે,એ જીવનમાં શાંંતિ આપી જાય 
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
આવી આંગણે નિખાલસ પ્રેમ આપી જાય,એ પાવનકૃપાએ મેળવાય
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે જીવના થયેલ કર્મ કહેવાય
આજકાલનો સંબંધ એ સમયની કેડી,એ મળેલદેહને જીવનમાંજ મળે
એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને મળેલ પાવનરાહે મળી જાય 
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
થયેલકર્મનો સંબંધ જીવને,એ અનેકદેહથી જીવને સમજણ આપી જાય
પવિત્ર કૃપા મળે પરમાત્માની જીવને,જે મળેલદેહથી ભક્તિપુંજન થાય
ના અપેક્ષા જીવનમાં કદીય રખાય,કે ના મોહમાયાનો સંબંધઅડીજાય
અનેક દેહ મળે જગતમાં,જેમાં પશુ પક્ષી પ્રાણીને માનવથીજ મેળવાય
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
************************************************************* 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment