March 28th 2021

જય મા દુર્ગા

નવરાત્રી/ જગત જનની માં અંબાની આરતી

.           .જય મા દુર્ગા 

તાઃ૨૯/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમની ગંગા વહે દુનીયામાં,શ્રધ્ધાથી માતાને વંદન કરતા મેળવાય
પરમકૃપાળુ માતાદુર્ગાનો મંત્ર,ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાથાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
માતાનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જે સમયે સત્કર્મનો સંગાથ આપી જાય
સમયસંગે ચાલવા કૃપા મળે દેહને,એ શ્રધ્ધાભાવનાથી પુંજન કરાવી જાય
આંગણે આવી કૃપાજ મળે જીવનમાં,જ્યાં પ્રભાતે માતાને ધુપદીપ કરાય
પાવનરાહે જીવનજીવવા કૃપામળે માતાની,જીવનમા સુખશાંંતિ મળી જાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
પરમ શક્તિશાળી માતા હતા ભારતમાં,જે રાજા મહિસાસુરનેય મારી જાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરતા,જીવનમાં નાકોઇજ તકલીફ મળતી જાય
મારા જીવનમાં પવિત્રમાતા દુર્ગાની કૃપા છે,જે જીવનમાં સુખ આપી જાય
માનવજીવનમાં નાકોઇજ અપેક્ષા રહે,કે નાકોઇજ માગણી જીવનમાં રખાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
##############################################################
March 27th 2021

સમયનો સંગાથ

**સંગાથ જીવનને તરતું રાખે છે - Sandesh**

.          .સમયનો સંગાથ

તાઃ૨૭/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને જીવનમાં અનેકકર્મનો,સંગાથછે જેઅવનીપર મેળવાય
આગમનથી જીવને સમયનોસ્પર્શ થાય,જે મળેલદેહની ઉંમરથી સમજાય
....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય.
જીવને મળતા દેહને બાળપણ,જુવાની અને ધડપણ સમયે મળતા જાય
દેહને કર્મનોસંબંધ જીવનમાંમળે,જે સમજીને ચાલતા નાતકલીફ મેળવાય
પવિત્રરાહને પકડી ચાલવા સવારમાં,શ્રધ્ધાથી ભગવાનની પુંજા થઈ જાય
ઉંમરને સમજી ચાલતા માબાપના આશીર્વાદથી,ભણતરની રાહને પકડાય
....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય.
જન્મ મળે જીવને ગતજન્મના કર્મથી,જે અવનીપર જન્મથી સમજાઈ જાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પશુ,પક્ષી,પ્રાણીઅને માનવીથી મળતો જાય
માનવદેહને પરમાત્માની કૃપાથી,શ્રધ્ધારાખતા જીવનમાં પવિત્ર્રરાહ મળીજાય
મારુ તારુની સમજણને છોડીને ચાલતા જીવને,પવિત્રકર્મથી મુક્તિમળી જાય 
....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય.
#################################################################
March 27th 2021

મળેલ પ્રેમ જ્યોત

સવારે અને સાંજે દીવો પ્રગટાવવા થી તમારા બધા દુ: ખ થશે દૂર, જાણો તેના ફાયદા અને ઉપાય

.          .મળેલ પ્રેમ જયોત

તાઃ૨૭/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહ પર પ્રભુનીકૃપા થાય,જે શ્રધ્ધાથી માતાની પુંજાકરતા દર્શન થાય
એ જીવને મળેલ પ્રેમની જ્યોત પ્રગટે,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
જીવને સંબંધ ગતજન્મના થયેલ કર્મથી,જે ધરતીપર આવન જાવન આપી જાય
કુદરતની અજબલીલા અવનીપર,જે અનેકરાહે શ્રધ્ધાથી થયેલ કર્મથી મળીજાય
પવિત્રમાતાના દેહ લીધા ભારતમાં,એ જીવોને પાવનરાહની પ્રેરણા આપી જાય
હિંદુ ધર્મની પવિત્ર જ્યોત અવનીપર પ્રગટી છે,જે પવિત્ર મંદીરથીય મળી જાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,શ્રધ્ધાભાવથી પુંજન કરી ના અપેક્ષા રખાય
આંગણે આવી પવિત્રકૃપા મળે પરમાત્માની,જે દેહને સવારસાંજથી મળતી થાય
પવિત્ર સ્વરૂપ હિંદુ માતાના છે,જે જીવનમાં મળૅલ પ્રેમ જ્યોતથી અનુભવ થાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરી વંદન કરતા,જીવનમાં દેહને પાવનરાહ મળીજાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
*******************************************************************
March 26th 2021

પ્રેમાળ માતા

###Saraswati Vandana - Ya kundendu Tushar | કાઠિયાવાડી ખમીર###

.           .પ્રેમાળ માતા 

તાઃ૨૬/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

તાલી પાડીને ભજન ગાતાજ,પરમાત્માની પાવન કૃપા પણ થાય
પ્રેમાળ માતા સરસ્વતીનો પ્રેમમળૅ,માતાજી સીતાર વગાડી જાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
મળેલ માનવદેહને ધર્મથી સંગાથમળે,હિંદુ ધર્મમાં અનુભવ થાય
અનેકદેહ લીધા છે પરમાત્માએ,જે ભારતદેશને પાવન કરી જાય
પવિત્ર પરિવારથી જીવતા મળેલદેહને,જીવનમાં પરમઆનંદ થાય
કલમપકડી ચાલતા દેહને પવિત્રકૃપા,માતા સરસ્વતીની મળીજાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
પવિત્ર ધર્મમાં અનેકરાહે કૃપા મળે,જે માનવદેહને કર્મથી દેખાય
નિર્મળભાવથી પરમાત્માની ભક્તિ કરતા,જીવનમાં સુખ મેળવાય
અનેક માતાના દેહ લીધા છે હિંદુ ધર્મમાં,એ માતાની પુંજા કરાય
જીવને મળેલદેહને માતાની કૃપાએ,જીવને અંતે મુક્તિ મળી જાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
ભણતરની રાહ મળે સંતાનને,સમય સંગે સફળતા પણ મળી જાય
અનેકરાહે મળેલદેહ જીવનમાં રાહ મેળવી જાય,એજ કૃપા કહેવાય
મળેલદેહના મગજને માતાના પ્રેમે,માનવદેહથી પવિત્રરાહ મેળવાય
જીવનમાં કલમ,કલા,નૃત્યકેનાટક જોઈને,અનેકને ખુબ આનંદથાય
....પરમકૃપાથી પ્રેમ મળે ભક્તોને,સંગે માતાના આશિર્વાદનો અનુભવ થાય.
**************************************************************
 

March 26th 2021

પરમ કૃપાળુ

સૂર્ય ને જળ અર્પિત કરતા સમયે ના કરો આ ભૂલ નહિ તો સૂર્યદેવ થઇ જશે નારાજ

.          .પરમ કૃપાળુ  

તાઃ૨૫/૩/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પરમ કૃપાળુ સંગે,અજબ શક્તિશાળી સુર્યદેવ જ કહેવાય
દુનીયામાં સુર્યના આગમનથી,સવારપડે જે જીવોને કર્મ કરાવી જાય
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
સવારમાં સુર્યનારાયણને શ્રધ્ધાથી,અર્ચના સંગે દર્શન કરી વંદન કરાય
અનંત પવિત્રકૃપાળુ ધરતીપર,જે અવનીપરના જીવોને સમયથી દેખાય
હિંદુધર્મના જીવોને એભક્તિરાહથી દેખાય,જે પ્રભાતે દર્શનથી સમજાય
સુર્યદેવને સવારે શ્રધ્ધાથીદર્શન કરી,ૐ હ્રીંમ સુર્યાય નમંઃથી પુંજનથાય
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
પવિત્રદેહ સમયસંગેહતો ભારતમાં,જે જગતપર શક્તિધારીથૉ ઓળખાય
માનવદેહને સંસાર મળે સમયે,એમની જવનસંગીની રાંદલમાતા કહેવાય
પાવનકૃપા મળે ભક્તોને,જે સવારના દર્શને સુર્યસ્નાનથીજ દેહ સચવાય
એવા કૃપાળુ છે પવિત્રદર્શનથી,વર્ષોથી ધરતીપર સવારસાંજ આપી જાય 
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
############################################################

	
March 25th 2021

વિરપુરના વાસી

##💐 ગુરૂવાર સ્પેશ્યલ બેડા પાર કર દે જલિયાન જોગી🌷 જય શ્રી રામ જય #જલારામ બાપા 🌷🌷 જય #વિરબાઈ માતા 🌷 #💐 ગુરૂવાર સ્પેશ્યલ video manish sahita - ShareChat - Funny ...##

..         .વિરપુરના વાસી 

તાઃ૨૫/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રજીવે દેહ લીધો વિરપુરમાં,જે પ્રધાન ઠક્કરના સંતાનથી ઓળખાય
માતા રાજબાઈની પાવનકૃપાએ,પવિત્ર ભક્તિશાળી જે જલારામ કહેવાય
....પવિત્રરાહ ચીધી ભોજનની વિરપુરથી,જે ભુખ્યાને અન્નદાનથી ખુશ કરી જાય.
પરમાત્માની પાવનકૃપા થઈ જીવનમાં,જે મંદીર મસ્જીદથી દુર લઈ જાય
મળેલ માનવદેહને પવિત્ર આંગલી ચીંધી,સંત ભોજલરામની કૃપા કહેવાય
નાકોઇ અપેક્ષા કે મોહમાયા સ્પર્શી,જે ભુખ્યા સંતને ભોજન આપી જાય
પકડેલ પવિત્રરાહ જીવનમાં,સંગે પત્નિ વિરબાઈનો પવિત્ર સાથ મળીજાય
....પવિત્રરાહ ચીધી ભોજનની વિરપુરથી,જે ભુખ્યાને અન્નદાનથી ખુશ કરી જાય.
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,માનવદેહને સમયસંગે ચલાય
જીવનમાં કર્મનોસંબંધ દેહને,જે જીવને જન્મમરણના આવનજાવનથી દેખાય
પવિત્રરાહે જીવતા જલારામે આંગળી ચીંધી,કે માનવદેહને પ્રેમે ભોજનદેવાય
જલારામના જીવનની પરીક્ષાકરવા પ્રભુ પ્રધાર્યા,પવિત્રકર્મ વિરબાઈ કરીજાય 
....પવિત્રરાહ ચીધી ભોજનની વિરપુરથી,જે ભુખ્યાને અન્નદાનથી ખુશ કરી જાય.
================================================================
March 25th 2021

વ્હાલા સાંઇબાબા

###100 Best Images - 2021 - સાંઇબાબા - WhatsApp Group, Facebook Group, Telegram Group###

.          વ્હાલા સાંઇબાબા

તાઃ૨૫/૩/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અનંત ભક્તોના વ્હાલા હતા સાંઈબાબા,જે પ્રેમપારખી શેરડી આવી જાય
દ્વારકામાઈએ સેવાથી મદદ કરી બાબાને,એ મળેલ દેહને પવિત્રરાહે દેખાય
.....પવિત્રરાહે જીવનજીવવા પ્રેરણા કરી,જે શ્રધ્ધા સબુરીથી મળેલ દેહને સમજાય.
જીવને મળેલ દેહ અવનીપર,ગત જન્મના દેહથી થયેલ કર્મથીજ મળી જાય
અનેક સ્વરૂપથી દેહ મળે જીવને,જે માનવ,પ્રાણી,પશુ,પક્ષીથીજ મેળવાય
મળેલદેહના જીવનમાં કર્મથાય,સંગે ધર્મનીકેડી જે પાવનકૃપાએજ મળી જાય
દેહ મળતા જીવને હિંદુ,મુસ્લીમ,ખ્રીસ્તી ધર્મનોસાથ મળે જે સમયે સમજાય
.....પવિત્રરાહે જીવનજીવવા પ્રેરણા કરી,જે શ્રધ્ધા સબુરીથી મળેલ દેહને સમજાય.
સાંઇબાબા એ વ્હાલા સંત થયા ભક્તોના,એ પાવનરાહે પ્રેરણા આપી જાય
માનવ દેહને પવિત્રરાહે જીવવા,આંગળી ચીંધી ના કોઈથીય ધર્મથી છટકાય
શ્રધ્ધા અને સબુરીની સમજણ એકજ છે,કેજે હિંદુ અને મુસ્લિમમાં સમજાય
અનેકદેહથી જન્મલીધો પરમાત્માએ ભારતમાં,જે અનેકકૃપાએ હિંદુધર્મકહેવાય
.....પવિત્રરાહે જીવનજીવવા પ્રેરણા કરી,જે શ્રધ્ધા સબુરીથી મળેલ દેહને સમજાય.
(((((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))))))))))

	
March 24th 2021

માતા અંજની સંતાન

  જાણો કઈ રીતે થયો હતો હનુમાનજી નો જન્મ, કોન હતા માતા અંજની..... - આપણી ખબર  
.         .માતા અંજની સંતાન

તાઃ૨૪/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમશ્રધ્ધાએ પ્રાર્થના કરતા,માતા અંજની સંતાન પ્રેરણા આપી જાય
પવિત્ર ભાવનાથી વંદન કરતા શ્રીરામને,બજરંગબલી હનુમાન કહેવાય
.....એવા લાડલા હનુમાજીનેનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય. 
સમયની સંગે ચાલતા જીવનમાં,પરમાત્મા શ્રીરામના લાડલા થઈ જાય
મળેલદેહ પર માતાની કૃપા મળતા,જીવનમા પરમશક્તિના દર્શનથાય
અયોધ્યામાં લીધેલ પવિત્રદેહ શ્રીરામનો,સંગે પત્ની સીતાજી મળી જાય 
સીતારામના લાડલા ભક્ત શ્રી હનુમાન,કૃપાએ પરમ શક્તિશાળી થાય
.....એવા લાડલા હનુમાનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય.
શ્રીરામના પત્નિ સીતાને ઉઠાવી જાય,જે લંકાના રાજા રાવણ કહેવાય
મળેલદેહમાં શ્રીરામને તકલીફપડી,જે ભાઈ લક્ષ્મણને બેહોશ કરી જાય
શ્રધ્ધારાખી હનુમાન ઉડીને,સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણને બચાવીજાય
નાકોઇ અપેક્ષા રાખી હતી,એ સીતાજીને શોધી રાવણનુ દહન કરીજાય
.....એવા લાડલા હનુમાનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 24th 2021

કૃપાની જ્યોત

***શુક્રવારે કરો આ ઉપાય, મા લક્ષ્મી આપનુ ઘર સુખ-શાંતિથી પરિપૂર્ણ રાખશે***

.          .કૃપાની જ્યોત

તાઃ૨૪/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પરમકૃપા છે ભારતદેશ પર,જે પવિત્ર દેહથી જન્મી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહ ચીંધે,એ જીવને જન્મમરણથી છોડી જાય
....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
અવનીપરનું આગમન જીવનુ,ગત જન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય 
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવનાથી પુંજા કરાય
પરમાત્માએ દેહ લીધા ભારતમાં,જે દેવ અને પવિત્રમાતાથી જન્મી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,લક્ષ્મીમાતા ને વિષ્ણુ ભગવાનને વંદન થાય
....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
નિર્મળપ્રેમ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ ભાવનાથી સંબંધને સચવાય
પરમકૃપાળુ છે માતા લક્ષ્મીજી,જે મળેલદેહના જીવનમાં શાંંન્તિ આપી જાય
પાવનકૃપા મળી પ્રદીપને માતાની,રોજ ૐ મહાલક્ષ્મીયે નમોનમઃથી પુંજાય
ભક્તિનો સાગર ભારતમાં વહે છે,જ્યાં હિંદુધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય
....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
#################################################################

   

 

 

March 23rd 2021

પવનપુત્ર બળવાન

### Sadhana Weekly - Gujarati Magazine - અંજનીપુત્ર પવનસુતનું નામ હનુમાન - બજરંગબલી કેમ પડ્યુ?###

.           .પવનપુત્ર બળવાન

તાઃ૨૩/૩/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રરાહે જીવન જીવતા પવનપુત્ર હનુમાન,શ્રી રામના પરમ ભક્ત કહેવાય
માતા અંજનીના સંતાન હિંદુ ધર્મમાં,એ મહાવીર બજરંગબલીથીય ઓળખાય
.....શ્રધ્ધા ભાવથી શ્રી રામને મદદ કરવા,અયોધ્યામાં આવી સફળતા મેળવી જાય.
મળેલદેહને પાવન કરવા પરમાત્માની કૃપા થઈ,ઉડીને સુર્યદેવને ગળી જાય
પવિત્રશક્તિ મળી પરમકૃપાનીજ,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય
શ્રીરામના ભાઈ લક્ષ્મણ બેહોશથયા,હનુમાનજી ઉડીને સંજીવની લઈ આવ્યા
સંજીવનીથી ભાઈ જાગૃત થયા,જે શ્રી રામ હનુમાનને ખુબ પ્રેમ આપી જાય
.....શ્રધ્ધા ભાવથી શ્રી રામને મદદ કરવા,અયોધ્યામાં આવી સફળતા મેળવી જાય.
શ્રી રામના પત્નિને અયોધ્યાથી,લંકાનો રાજા રાવણ આવી અચાનક લઈજાય
અનંત ચિંતા થઈ શ્રીરામ સંગે લક્ષ્મણને,જે દુર કરવા હનુમાનજી ઉડીને જાય
લંકાની નજીકના જંગલમાં સીતામાતાને શોધીને,શ્રીરામને સમયથી સમજાવાય
શ્રીરામલક્ષ્મણને ઉંચકીને લંકાલાવ્યા,પછી લંકામાં રાજારાવણનુ દહન કરીજાય
.....શ્રધ્ધા ભાવથી શ્રી રામને મદદ કરવા,અયોધ્યામાં આવી સફળતા મેળવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

   

« Previous PageNext Page »