October 18th 2021
બમ બમ ભોલેનાથ
તાઃ૧૮/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ શંકર ભગવાન હિંદુધર્મમાં,તેમને બમબમ ભોલેનાથ પણ કહેવાય
શ્રધ્ધારાખીને ધુપદીપ પ્રગટાવીને વંદન કરતા,ભક્તોપર પાવનકૃપાય થઈ જાય
.....એવા વ્હાલા પરમાત્માના સ્વરૂપને,ૐ નમઃ શિવાયથી માળા કરીને પુંજન કરાય.
પવિત્ર કૃપાળુ ભગવાન છે જે ભક્તોની ભક્તિએ,પરમપવિત્ર પ્રેમ આપી જાય
ભારતની ભુમીને પવિત્રકરવા શિરથી,પવિત્ર ગંગાનદીને વહાવી કૃપા કરીજાય
પવિત્ર શક્તિશાળી પ્રભુના દેહને,હિમાલયની પુત્રી પાર્વતી પતિદેવ કરી જાય
અજબશક્તિશાળી ભગવાન ભારતદેહમાં,જે પવિત્ર શંકરભગવાનથીઓળખાય
.....એવા વ્હાલા પરમાત્માના સ્વરૂપને,ૐ નમઃ શિવાયથી માળા કરીને પુંજન કરાય.
માતા પાર્વતીનો પવિત્રપ્રેમ જીવનમાં મળતા,પવિત્ર સંતાનોને જન્મ આપી જાય
પરમકૃપાળુ સંતાન શ્રીગણેશ કહેવાય,જે મળેલદેહના ભાગ્યવિધાતાય થઈ જાય
હિંદુધર્મમાં માનવદેહના એવિઘ્નવિનાયક,પણ કહેવાય જે મનુષ્યને બચાવી જાય
પવિત્ર બીજા સંતાન કાર્તિકેય કહેવાય,અને પવિત્ર દીકરી અશોકસુંદરી થઈજાય
.....એવા વ્હાલા પરમાત્માના સ્વરૂપને,ૐ નમઃ શિવાયથી માળા કરીને પુંજન કરાય.
=====================================================================
No comments yet.