October 27th 2021

માતા સરસ્વતીની કૃપા

વસંત પંચમી ના દિવસે પૂજા-પાઠ દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ, નહીતો માતા સરસ્વતી થઇ જશે નારાજ.. | ગુજરાતી વાયરો
.         .માતા સરસ્વતીની કૃપા

તાઃ૨૭/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રકૃપા મળે કલમપ્રેમીઓને માતા સરસ્વતીની,જે પકડેલ કલમથી દેખાય
પકડેલ કલમપર માતાની કૃપા મળતા,નિખાલસ ભાવનાથી રચના થઈ જાય
.....એ કલમપ્રેમી માતાની પવિત્રકૃપા કહેવાય,જે પકડૅલ કલમને પ્રેરણા આપી જાય.
જગતમાં જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં અનેકકર્મના સંગાથ મળી જાય
અવનીપરનુ આગમન એજીવને મળેલ દેહને,ગતજન્મના થયેલકર્મથી મેળવાય
સરસ્વતી માતાની પવિત્રકૃપા મળે,જે મળેલદેહના મનને કલમની પ્રેરણાથાય
ભજન અને ભક્તિનો સંગાથ મળે,એ કલાકાર સંગે કલમપ્રેમીઓ મળી જાય
.....એ કલમપ્રેમી માતાની પવિત્રકૃપા કહેવાય,જે પકડૅલ કલમને પ્રેરણા આપી જાય.
શ્રધ્ધારાખીને માતા સરસ્વતીને વણ્દન કરતા,માનવદેહપર પવિત્રકૃપા મળીજાય
અદભુત કૃપાળુ પવિત્રમાતાજ છે જગતમાં,જે ભારતદેશમાં જન્મલઈ આવીજાય
કલાની પવિત્રકેડી મળે માનવદેહને,જે કલમની પવિત્રકેડીથી અનેક રચનાથાય
માતાની કૃપાએ કલમની રચનાથી,કલાકારને નાટકથી ચાહકોનો પ્રેમ મેળવાય  
.....એ કલમપ્રેમી માતાની પવિત્રકૃપા કહેવાય,જે પકડૅલ કલમને પ્રેરણા આપી જાય.
###################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment