પવિત્રકર્મની કેડી
પવિત્રકર્મની કેડી
તાઃ૧૧/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ પવિત્રક્રુપા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહથી અનુભવાય
પાવનપ્રેમની રાહ મળે માનવદેહને જીવનમાં,ના કોઇજ અપેક્ષા અડી જાય
……એ પરમાત્માની લીલા કહેવાય જગતમાં,જે માનવદેહને જીવનમાં મળતી જાય.
કર્મનોસંબંધ એ મળેલ માનવદેહને,એજ જીવને બીજા દેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવરપક્ષી અને મનુષ્યદેહ,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
અદભુતલીલા ભગવાનની જગતમાં,જેકૃપાથી જીવને જન્મમરણથી છોડીજાય
મળેલ માનવદેહને સમજણ આપવા,પ્રભુ અનેકદેહથી ભારતમાં જન્મી જાય
……એ પરમાત્માની લીલા કહેવાય જગતમાં,જે માનવદેહને જીવનમાં મળતી જાય.
કુદરતની અનેકરાહ માનવદેહને જીવનમાંમળે,જ્યાં સમજણનોસાથ મળીજાય
નાકોઇ અપેક્ષા જીવનમાં રહેતા પ્રભુનીકૃપાએ,જીવનમાં શ્રધ્ધારાખીને જીવાય
પરમાત્માની પવિત્રકૃપાએ દેહથી ઘરમાં,ધુપદીપ સંગે આરતીકરી પુંજા કરાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિકરતા,જીવનમાં પવિત્રકર્મની કેડી મળીજાય
……એ પરમાત્માની લીલા કહેવાય જગતમાં,જે માનવદેહને જીવનમાં મળતી જાય.
********************************************************************