September 6th 2022
***
***
. .સિધ્ધીવિનાયક શ્રીગણેશ
તાઃ૬/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રસંતાન શ્રીશંકર ભગવાનના,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી પુંજાય
મળેલ માનવદેહના એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહના વિઘ્નહર્તા પણ કહેવાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
ભગવાને પવિત્રધર્મની જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે ધરતીપર પવિત્રદેશ કહેવાય
જગતમાં પવિત્રધર્મ એ હિંદુ ધર્મછે,જેમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
માતા પાર્વતીના પવિત્રસંતાન શ્રી ગણેશ થયા,જેમના પિતા શંકરભગવાન કહેવાય
અવનીપર હિંદુધર્મમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ગણેશજીની પુંજાથી ભક્તિ કરાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે શ્રધ્ધાભક્તિથી જીવનજીવાડીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે માનવદેહપર કૄપાકરી જાય
પવિત્ર શ્રી ગણેશ હિંદુધર્મમાં અનેક પવિત્રનામથી પુંજાય,જે પવિત્રજીવન આપીજાય
અવનીપરના માનવદેહન જીવને ગણપતિનીકૃપાએ,અંતે જન્મમરણથી મુક્તિમળીજાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
########################################################################
No comments yet.