September 30th 2022

. પવિત્રપાંચમી નવરાત્રી
તાઃ૩૦/૯/૨૦૨૨ (સ્કંદમાતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રશક્તિ છે દુર્ગામાતાની,તેમના પવિત્ર નવસ્વરુપની કૃપા મળી જાય
નવરાત્રીના પવિત્ર નવદીવસમાં માતાનીકૃપામળે,જે મળેલદેહને પવિત્રરાહે લઇ જાય
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય.
પવિત્ર દુર્ગામાતાના નવરાત્રીના તહેવારમા,પાંચમા નોરતેજ સ્કંદમાતાને વંદન કરાય
પવિત્રકૃપાળુમાતાછે હિંદુધર્મમાં,ભક્તોથી તાલીપાડીને ગરબા રમતા કૃપા અનુભવાય
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથીજ જન્મ લઈ જાય
હિંદુધર્મમાં પવિત્ર દેવઅનેદેવીઓથી,ભારતમાં જન્મીજાય જે જગતમાં સુખ આપીજાય
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય.
હિંદુ ધર્મમાં સમયે નવરાત્રીનો તહેવાર ઉજવાય,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપનેપુંજાય
પવિત્ર નવરાત્રીમાં દુર્ગામાતાની કૃપાએ,આજે પાંચમુ નોરતુ જે સ્કંદમાતાની પુંજાથાય
માતાને શ્ર્ધ્ધાથી વદન કરવા ભક્તો,તાલી પાડીને ગરબારમી માતાને રાજી કરીજાય
ગરબેરમીને માતાના પાંચમા સ્વરૂપ શ્રી સ્કંદમાતાથી હિંદુધર્મનીશાન પવિત્ર કરીજાય
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય.
**********************************************************************
No comments yet.