October 31st 2012

આંબા ડાળ

.                        આંબા ડાળ

તાઃ૩૧/૧૦/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંબા ડાળે કેરી પાકતાં જ,ડાળખુ એ નમી જાય
પાવન કર્મની કેડી લેતાં,આ જીવન સુધરી જાય
.                 ………………..આંબા ડાળે કેરી પાકતાં જ.
જગમાં જીવન પ્રેમથીજીવતાં,પાવનકર્મ થતાં જાય
મોહમાયાના વાદળ છુટતાં,કરુણા સાગરમળી જાય
જલાસાંઇનો પ્રેમઅનેરો,જીવનમાંશાંન્તિ આપીજાય
મળે કૃપા સાચા સંતની,નિર્મળ રાહ પણ મળી જાય
.               ………………….આંબા ડાળે કેરી પાકતાં જ.
આંબાડાળે જો સડો લાગેતો,ડાળખુ તુટવા નમીજાય
નાઆધાર રહે જ્યાં આંબાને,અંતે એ કોવાઇ જ જાય
જીવને છે આધાર પ્રભુનો,જે સાચીભક્તિએ મેળવાય
સાથ મળે જ્યાં જલાસાંઇનો,ના આભ પણ અથડાય
.                 …………………આંબા ડાળે કેરી પાકતાં જ.

#############################

October 31st 2012

દીલની ધડકન

.                      દીલની ધડકન

તાઃ૩૧/૧૦/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધડક ધડક છે દીલની ધડકન,જીવને આપે છે એ સાથ
અટકી જાય જ્યાં શરીરમાંએ,દેહને મૃત્યુ મળે છે આજ
.                …………………..ધડક ધડક છે દીલની ધડકન.
કુદરતની આ અનોખીરીત,સમજાય જીવને મળતાં પ્રીત
કર્મની લખેલકેડી જીવની,જગમાં જીવની સંગે એ રહેતી
ભક્તિ સંગે પ્રીત રહેતી,ધડકન ભક્તિની દીલને મળતી
સરળ જીવને એ પ્રેમ કરતી,સાચી શ્રધ્ધા મનમાં રહેતી
.               ……………………ધડક ધડક છે દીલની ધડકન.
માનવતાએ મહેંકેજીવન.ભક્તિપ્રીત જ્યાં શીતળ રહેતી
મોહમાયાની કેડી છુટતા,જીવને આનંદની ગંગા મળતી
સિધ્ધિનાસોપાન મળતાં જીવનમાં,કર્મ પાવનકરી દેતી
લખેલકર્મ  મિથ્યાબનતાં,જ્યાં જલાસાંઇથી પ્રીત રહેતી
.               ……………………ધડક ધડક છે દીલની ધડકન.

*****************************************

October 31st 2012

શીતળ સાથ

.                          શીતળ સાથ

તાઃ૩૧/૧૦/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખ દુઃખ એતો સંસારની કેડી,માનવ જન્મે મળી જાય છે આજ
ભક્તિ પ્રેમની નિર્મળ જ્યોતે,આવી મળે જીવનમાં શીતળ સાથ
.                       ………………… સુખ દુઃખ એતો સંસારની કેડી.
દેહ એજ સાંકળ છે જીવની,જીવને જન્મો જન્મ એ જકડી જાય
પશુ પક્ષી પ્રાણી ને માનવદેહ મળે છે,જે કર્મબંધનથી જકડાય
કરુણા સાગરની એક પવિત્ર કેડી,જે જીવને શ્રધ્ધાએ સમજાય
મળે જીવને પ્રેમ જલાસાંઇનો,એ જીવને મુક્તિ માર્ગ દઈ જાય
.                      …………………..સુખ દુઃખ એતો સંસારની કેડી.
લાગણી પ્રેમ હૈયામાં ઉભરે,જેને  અંતરનો સાચો પ્રેમ કહેવાય
પરમાત્માની પરમકૃપાએ,જીવનમાં એનો સહવાસ છે મેળવાય
શીતળતાનો સંગાથ મળતાં જીવનમાં,સુખની વર્ષા પણ થાય
લેખ લખેલ જીવનાઅવનીએ,સાચી શ્રધ્ધા ભક્તિએ છુટી જાય
.                  ……………………..સુખ દુઃખ એતો સંસારની કેડી.

++++++++++++++++++++++++++++++++++++++