સરળ માર્ગ
. સરળ માર્ગ
તાઃ૧૪/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શે,જ્યાં ભક્તિમાર્ગ મળીજાય
મુક્તિ માર્ગ મળતાં જીવને,મળેલ જન્મ સફળ થઈ જાય
. …………………સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શે.
અવિનાશીના અવતાર જગતમાં,રામ,કૃષ્ણથી ઓળખાય
અવનીપર આવી પરમાત્માએ,ઉજ્વળરાહ જીવનેદેવાઇ
નિર્મળતાનો સંગ રાખતાં,જીવને માર્ગ સરળ મળી જાય
અવનીપરના આગમનથી,માનવજન્મ સાર્થક થઈજાય
. ………………….સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શે.
મળે જીવને જ્યોત પ્રેમની,ને મળી જાય સાચો સંગાથ
અંતરમાં ના ઉભરો જાગે,કે ના મોહ માયાનોય ભંડાર
જ્યોતપ્રેમની સંગેરહેતા,સાચીભક્તિ જીવથી થઈજાય
મળે જલાસાંઇનો પ્રેમ જીવને,જે ભક્તિમાર્ગ દઈ જાય
. ………………….સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શે.
)))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))