July 11th 2013

અમેરીકામાં શું મળે?

.                    . અમેરીકામાં શું મળે?        

તાઃ૧૧/૭/૨૦૧૩                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

*    અમેરીકામાં આવતાં સૌ પ્રથમ તમને દેખાવ મળે.દેખાવમાં કપડાં અને
સૌદર્યને વધુ મહત્વ અપાય છે એટલે તમને ખર્ચો મળે.

*     આપણે મેળવેલ ભણતરની અહીં આવતા કોઇ જ કદર નથી એટલે અહીં
આવતા બેકારી મળે અને મજુરીની નોકરી સ્વીકારવી જ પડે.

*     અહીંયા કોઇપણ નોકરી માટે અરજી કરતાં બીજો પ્રશ્ન તમારી ઉંમરનો હોય
છે એટલે અમેરીકામાં રીટાયર્ડની જવાબદારી કંપની લેવા તૈયાર નથી અને
સાતમો પ્રશ્ન એ હોય છે કે તમે મુળ ક્યાંથી આવ્યા છો કારણ અમેરીકનને ખબર
છે કે  એક ભારતીય છ અમેરીકનનું કામ એકલો મહેનતથી કરી શકે છે જે તેને
ગળથુથીમાં મહેનત મળી છે એટલે નોકરી ના આપે.

*      અમેરીકાના નાગરીક થવાના હક્કથી આવો એટલે તમને કોઇપણ મોટી
કંપનીમાં રાત્રે કે દીવસે માલ ગોઠવવાની કે ગ્રાહકોને મદદ કરવાની કે લારીયો
ખેંચવાની નોકરી તરત મળે કારણ આપણા જ લોકો તેમાં કામ કરતા હોય છે અને
અમેરીકામાં તેમને આ કામ માટે જરૂર હોય છે જ.

*         અમેરીકામાં ડૉકટરના થોડા ભણતરથી તમને તક મળે. આ દેશમાં સૌથી
વધારે શાંન્તિ તેમને છે કારણ અહીંયા ગેસ અને ઇલેક્ટ્રીસીટીના હવામાનમાં સૌથી
વધારે પ્રદુષણ થાય છે કાર સેટેલાઇટ અને ફોન એ સૌથી વધારે દુષણ પેદા કરે છે
જેથી હાડકા ચામડી અને શરીર ના સ્વાસ્થ્યની ખુબજ તકલીફો થાય છે અને તેથી
ડૉકટર પૈસા કમાય છે અને તેનુ મુળ એ વિમાની જરૂરીયાત જે દર્દીના પૈસા વિમા
કંપની તમારા ઇન્સ્યોરન્સમાંથી આપે છે. એટલે દેશમાં ડૉકટર અને વિમા કંપની
સધ્ધર છે.

*           આ દેશમાં કોઇને આપણે સાચા દીલથી પોતે નુકશાન ભોગવીને પણ મદદ
કરીએ તો ફક્ત  થેંક્યુ  કહી નીકળી જાય અને આપણે જરૂર પડે તો દેખાય પણ નહીં
એટલે આપણને નિરાશા મળે અને દુઃખ પણ થાય.આ દેશમાં શબ્દ સિવાય કશું જ
નથી મળતું.

*            અમેરીકામાં લાકડાના જ ઘર હોય છે કારણ ઝાડ તો કુદરતની દેન છે એટલે
કે તે મફત મળે અને બીજી વાત એ કે અહીં હવામાનનો કોઇ ભરોસો નહીં એટલે ઘરમાં
ઠંડી અને ગરમી માટે ઇલેક્ટ્રીક વપરાય એટલે ખોટા ખર્ચા મળે.

*            અમેરીકાના દેખાવથી રંગાયેલ સંતાન માબાપને અહીંયા બોલાવે થોડો સમય
પોતાની સાથે રાખે અને પછી જીભનો ઉપયોગ કરી તેમને ઘરડા ઘરમાં મુકી તેમના
સરકારથી મળતા પૈસાથી લહેર કરે અને ફાધર ડે અને મધર ડેના દીવસે દેખાવથી
બોલાવી માબાપની લાગણી મેળવવા પ્રયત્ન કરે છે પણ તેમને હાય લાગે છે. છતાં
માબાપ ભારત જાય તો સંતાન માટે કદી ખરાબ બોલતા નથી જે તેમના સંસ્કાર છે.

*        અમેરીકામાં આવતાં ઉપરની વાતો ઘણી વિચારી અને સહન કરવાની તૈયારી
સહિત પગ મુકવો. આ દેશમાં એક જ વાત અગત્યની છે કે આ દેશમાં ભણતરમાં અનીતિ
નથી એટલે આદેશમાં સાચા દિલથી મહેનત કરીને સંતાન લાયકાત મેળવે તો દુનીયામાં
તે સારૂ કમાઇ શકે. જ્યારે બીજા દેશોમાં ભણતરમાં અનીતિ જોવા મળે છે.

====ઉપરોક્ત લખાણ એ અમારો અનુભવ છે અને તેમાં શંકાને કોઇજ સ્થાન નથી.====

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

July 10th 2013

સાચી લાગણી

.                   . સાચી લાગણી

તાઃ૧૦/૭/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાનો સંગ રાખીને જીવતા,માનવતા મહેંકી જાય
સાચી લાગણી અંતરથી નીકળતા,સુખશાંન્તિ મળી જાય
.                   ………………….નિર્મળતાનો સંગ રાખીને જીવતા.
ઉજ્વળ રાહ મળે જીવનમાં,ના મોહ માયા કોઇ અથડાય
સુખશાંન્તિના વાદળ ધેરાતા,પાવન કર્મ જીવનમાંથાય
નારીને  નારાયણી સમજતાં,અનેક જીવો મળી હરખાય
કર્મની કેડી સાચી રાહે મળતા,જીવ  મુક્તિ માર્ગે દોરાય
.                   ………………….નિર્મળતાનો સંગ રાખીને જીવતા.
માનવદેહ મળે અવનીએ જીવને.એજ પ્રભુ કૃપા કહેવાય
કર્મની સાચી કેડી મળતા દેહથી,જીવ સત્કર્મોથી સહેવાય
સાચી લાગણી નીકળે જીવથી,જ્યાં જલાસાંઇની કૃપાથાય
આવી આંગણે પ્રેમ મળે સર્વનો,જીવની લાયકાત કહેવાય
.                 ……………………નિર્મળતાનો સંગ રાખીને જીવતા.

=====================================

July 9th 2013

આરાસુરી મા અંબા

Ambe Mataji

.              . આરાસુરી મા અંબા

તાઃ૯/૭/૨૦૧૩                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

આરાસુરી મા અંબાની કૃપાએ,આ જીવન ઉજ્વળ થઇ જાય
મળેલજન્મને સાર્થક જોતા,માતાનીઅસીમકૃપા મળી જાય
.                       ………………..આરાસુરી મા અંબાની કૃપાએ.
પ્રભાત પહોરે શ્રી અંબે શરણં મમનું,સ્મરણ મનથી થઇ જાય
અંતરમાં આનંદ અનેરો લેતાં,માતાની અપારકૃપામળીજાય
આવી આંગણે મા હેત વર્ષાવે,અનુભવ અંતરમાં તેનો થાય
લાગણીમોહની માયાછુટતાં,જીવપર કૃપામાતાની થઇ જાય
.                       ………………..આરાસુરી મા અંબાની કૃપાએ.
આરાસુરથી મા અંબા આવે,ને માતા કાળકા કાસોર ગામથી
પ્રેમ ભક્તિ પારખી પ્રદીપ રમાની,માતા તકલીફો દુર કરતી
કૃપાનીવર્ષા પ્રેમે કરતી માતા,જે જીવને રાહ સાચીદઈ દેતી
બંધ આંખે સ્મરણ કરતાં માતાના,કૃપા આંગણે આવીમળતી
.                     ………………….આરાસુરી મા અંબાની કૃપાએ.

=======================================

July 8th 2013

આરાધના

.                  . આરાધના

તાઃ૮/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે છે શાંન્તિ ત્યાંથી,જ્યાં ભક્તિભાવને સમજાય
આરાધના જલાસાંઇની કરતાં,સંસારી જીવન મહેંકી જાય
.                       …………………જીવને મળે છે શાંન્તિ ત્યાંથી.
અવની પરના આગમનની કેડી,જન્મ મરણથી જ સંધાય
ઉજ્વળતાની કેડીને પામવા,સંસારના સંબંધને સચવાય
માયામોહની રાહ છોડવાને કાજે,ભગવા રંગને તરછોડાય
સંસારી જીવન ઉજ્વળ રાહ બને,આંગણે પ્રભુ આવી જાય
.                     ………………….જીવને મળે છે શાંન્તિ ત્યાંથી.
શાંન્તિનો સહવાસ મળતા,મળેલ આ જીવન મહેંકી જાય
કર્મની સાચી કેડીને પકડતા જગે,મોહમાયા  ભાગી જાય
અંતરમાં આનંદ ઉભરે કૃપાએ,સંત જલાસાંઇ રાજી થાય
જન્મ બંધન છુટે જીવના અવનીથી,મુક્તિ માર્ગ મેળવાય
.                       …………………જીવને મળે છે શાંન્તિ ત્યાંથી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

July 7th 2013

કીર્તી

.                    . કીર્તી

તાઃ૭/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિનો સંગાથ મળે જીવનમાં,ને માનવતા મહેંકી જાય
નિર્મળ ભાવથી મહેનત કરતાં,કીર્તીના વાદળ વર્ષી જાય
.                  ………………….શાંન્તિનો સંગાથ મળે જીવનમાં.
અવનીપરનુ આગમન જીવનું,કર્મના બંધનથી મેળવાય
જીવની જ્યોત પ્રગટે અવનીએ,જ્યાં શ્રધ્ધા સાચી પકડાય
મળતી બંધનની કેડી જીવને,જગતે માર્ગ અનેક દઈ જાય
સમજી વિચારી પગલું ભરતા,સફળતાએ કીર્તી મળી જાય
.                   …………………શાંન્તિનો સંગાથ મળે જીવનમાં.
અનેક રાહ મળે જીવને જગતે,સમજીને એકજ રાહ પકડાય
સરળતાનો સંગાથ રહેતા,સફળતાનોય  સંગાથ મળી જાય
જન્મ સાર્થક બનતો જાય,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
ના અપેક્ષા રાખતા જીવનમાં,સરળતા સાથ આપતી જાય
.                   ………………….શાંન્તિનો સંગાથ મળે જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++++

July 6th 2013

મળતો સંકેત

.                   .મળતો સંકેત                        

તાઃ૬/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

નાવડી પકડી ચાલતો માનવી,કિનારો શોધતો જાય
મળે નાએકે લહેરપાણીની,ત્યાંથીજ એ મુંઝાતો જાય

લાગણીને પકડી ચાલતો માનવી,મુંઝવણ લેતો જાય
સાથીને શોધતો ડગલે પગલે,નિરાધાર એ થતો જાય

સરળ જીવનને શોધવા ચાલે,દીવસરાત અહીંને તહીં
બાળપણને ભુલાઇ ગયું અને જુવાનીમાં ભટકે છે અહીં

કલમની કેડી ના કાતર જેવી,જીવને જ્યોત આપે છે ભઈ
પ્રેમ નિખાલસ પામી લેવા,ગુજરાતી મળી ગયા છે અહીં

કરેલ કામની કદમ ના શોધો,એ તો મુક્તિ સ્વર્ગની થઈ
ભક્તિ કેરા સંગનેરાખતા દેહે,આદર સત્કાર થશેજ અહીં

લેખ લખેલા જીવના જગે,ના કોઇથી અવનીએ છટકાશે
જલાસાંઈની જ્યોત મેળવતા,ના જીવનમાંએ ભટકાશે

કદર કામની કાલેજ બોલશે,નાકોઇ અપેક્ષા રાખશો અહીં
ઉજ્વળ પ્રેમની રાહ મેળવી,જીવન સાર્થક થઇ જશે ભઇ

+++++++++++=========+++++++++++

 

 

July 5th 2013

ભણતર

.                   . ભણતર

તાઃ૫/૭/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે ઉજ્વળતા જીવનમાં,જ્યાં સમયને સચવાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં ભણતરની રાહને પકડાય
.              ……………..જીવને મળે ઉજ્વળતા જીવનમાં.
અવનીપરનુ આગમન જીવને, કર્મના બંધને લાવીજાય
દેહ મળતા જીવને અવનીએ,માબાપનો પ્રેમ મળી જાય
સમજ મગજને સંસ્કારે મળતી,જે સમય સમયે સમજાય
આવતીકાલને પારખવા,મનમાં વિચારની ધારાઓથાય
.                …………….જીવને મળે ઉજ્વળતા જીવનમાં.
ભણતર એ ચણતર જીવનનું,સાચી રાહ મળતા સમજાય
ગણી લીધેલા પાપને મનથી,સમયે દુર તેનાથીજ જવાય
મળતી ઉજ્વળકેડી પકડવા,ભણતરની રાહ સાચીપકડાય
જન્મસાર્થક પ્રભુકૃપાએ થાય,જ્યાં સાચીભક્તિરાહ લેવાય
.             ………………..જીવને મળે ઉજ્વળતા જીવનમાં.

=================================

 

July 4th 2013

મળેલ પ્રેમ

.               . મળેલ પ્રેમ

તાઃ૪/૭/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતો પ્રેમ અપાર જીવને,જ્યાં નિર્મળતા સહેવાય
માનવતાની મહેંક પ્રસરતા,સ્વર્ગીયસુખ મળી જાય
.              ………………….મળતો પ્રેમ અપાર જીવને.
સંતાનને સાચી રાહ મળે,જ્યાં માબાપને વંદન થાય
ઉગમણી ઉષાને નિરખતા,માતાનાચરણે સ્પર્શ કરાય
મનથી રાખી પ્રેમ નિખાલસ,સાચીભક્તિ પ્રેમથી થાય
મળે પ્રેમની વર્ષા જીવને,જ્યાં જલાસાંઇની પુંજા થાય
.              …………………..મળતો પ્રેમ અપાર જીવને.
વંદન કરતાં વડીલને પ્રેમે,સાચા આશિર્વાદ મળી જાય
ઉજ્વળ જીવનમાં રાહ મળે,એજ સાચી શ્રધ્ધા કહેવાય
એકજ ટપલી મળે ગુરૂની,નિર્મળ કેડી જીવને મળી જાય
સાર્થક જન્મનીરાહ મળતા,જીવનેમુક્તિમાર્ગ મળીજાય
.               …………………..મળતો પ્રેમ અપાર જીવને.

+++++++++++++++++++++++++++++++++

 

 

July 3rd 2013

આવતો દીવસ

meenaxi mandir

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.               .  આવતો દીવસ 

તાઃ૩/૭/૨૦૧૩                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

વર્ષમાં એક વખત આવતો દીવસ,જેને જન્મદીવસ કહેવાય
અવનીપરના આગમનને યાદ કરતા,નિર્મળ પ્રેમ મેળવાય
.         …………………એ દીવસ જેને રમાનો જન્મ દીવસ કહેવાય.
માતાપિતાની નિર્મળ રાહે,જુલાઇ ૩ને ૧૯૬૦ના દેહ મળી જાય
પ્રેમ નિખાલસ મળતા જીવનમાં,સરળતાના સોપાનમળી જાય
પાળજ ગામમાં બાળપણ વિતાવતા,સુખ શાંન્તિ પણ સહેવાય
મળે પ્રેમ ભાઇ બહેનનો જીવનમાં,નાકોઇ અપેક્ષા ક્યાંય રખાય
.                    ………………..વર્ષમાં એક વખત આવતો દીવસ.
જીવનસંગીની બની મારી જ્યારથી,અમારુ જીવન મહેંકી જાય
સુખદુઃખને સંભાળી જીવતા,સંત જલાસાંઇની કૃપાય થઈ જાય
મળ્યા સંસ્કારી સંતાન અમનેજીવનમાં,જે દીપલ રવિ કહેવાય
ભક્તિ મહેનત મનથીકરતાં,સંતાનનાજીવન ઉજ્વળ થઈજાય
.                  ………………… વર્ષમાં એક વખત આવતો દીવસ.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.          .પરમકૃપાળુ સંત પુજ્ય જલારામ બાપા અને સંત પુજ્ય સાંઇબાબાની અસીમકૃપાએ
આજે મારી જીવનસંગીની અ.સૌ રમાનો જન્મદિવસ છે.આજે તે ૫૩મા વર્ષમાં પ્રવેશ કરે છે
તો પુજ્ય સંતોનો વંદન સહિત પ્રાર્થના કે તેને તન મન અને ધનથી શાંન્તિ આપી અખંડ કૃપા
કરે.        (તાઃ૩/૭/૧૯૬૦  થી તાઃ૩/૭/૨૦૧૩)

લી.પ્રદીપ ના જય જલાસાંઇ.

 

July 2nd 2013

સાચી ઓળખ

.               સાચી ઓળખ

તાઃ૨/૭/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવતી કાલને ઓળખી લેતા,ગઈકાલ સુધરી જાય
મનમાં સાચી સમજણ મળતાં,કર્મપાવન થઈજાય
.               …………………આવતી કાલને ઓળખી લેતા.
માનવમનને મળતી માયા,જીવનીરાહ બગાડી જાય
શું કરવુ શું ના કરવુ સમજતાં,આ જીવન સુધરી જાય
પ્રેમની સાચી સાંકળ પકડતાં,મોહમાયા જ છુટી જાય
મળતી રાહને સમજી લેતાં,આ જન્મ સફળ થઈ જાય
.              ………………….આવતી કાલને ઓળખી લેતા.
મુક્તિ માર્ગને સમજી લેતાં,જીવથી સાચી ભક્તિ થાય
મળે જલાસાંઇની કૃપા જીવને,રાહ સાચીજ મળી જાય
અવનીપરના આગમનનેપારખી,સાચી ઓળખ થાય
માનવજીવનને પારખી લેતાં,કર્મના બંધન છુટી જાય
.                ………………..આવતી કાલને ઓળખી લેતા.

==================================

« Previous PageNext Page »