September 20th 2020

મળેલો પ્રેમ

.              .મળેલો પ્રેમ          
તાઃ૨૦/૯/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કર્મ જન્મનો સંબંધ જીવને અવનીપર,અદભુતલીલા અવિનાશીની કહેવાય
માનવદેહ એ પાવનરાહ થયેલ કર્મની,જે સત્કર્મના માર્ગે જીવને લઈ જાય
.....મળેલ પ્રેમ પરમાત્માનો જીવને,પાવનકર્મ સંગે શ્રધ્ધાભક્તિ પણ આપી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે થયેલ કર્મના સંબંધે બંધાઈ જાય
મળે માનવદેહ જીવને એ ગતજન્મના કર્મથી,જીવને અવનીપર લાવી જાય
પશુપક્ષીના દેહને ના કોઇ સમજણ અડે,કે નાકોઇ પવિત્રકર્મ દેહથી થાય
મળેલ માનવદેહને કૃપા પરમાત્માની મળે,જે દેહને મળેલપ્રેમથીજ સમજાય
.....મળેલ પ્રેમ પરમાત્માનો જીવને,પાવનકર્મ સંગે શ્રધ્ધાભક્તિ પણ આપી જાય.
મારુતારુ એ સમજણ માનવદેહની,જે સમયસમજીને દેહને કર્મ કરાવી જાય
પરમકૃપાળુ પરમાત્મા અવનીપર લીધેલ દેહથી,જીવને પાવનરાહથી પ્રેરીજાય
મોહમાયાનો સંબંધ દેહને જીવનમાં,થયેલ અનેકકર્મથી દેહને એ સ્પર્શી જાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,મળેલ નિર્મળપ્રેમ દેહને રાહઆપી જાય
.....મળેલ પ્રેમ પરમાત્માનો જીવને,પાવનકર્મ સંગે શ્રધ્ધાભક્તિ પણ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

September 18th 2020

સાચીરાહ

.               સાચીરાહ        
તાઃ૧૮/૯/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન જીવનુ,મળેલ માનવદેહ પર પ્રભુની કૃપા થાય
થયેલ કર્મનીકેડી એ જીવને સ્પર્શે,જે અવનીપર આવનજાવથીદેખાય
.....સમય સંગે ચાલતા માનવદેહને,જીવનમાં સત્કર્મની સાચી રાહ મળી જાય.
દેહ મળતા જીવને અવનીપર,કર્મની કેડીથી જીવવાનીય રાહ મેળવાય
અદભુતલીલા પરમાત્માની જગતમાં,જે અનેકરાહે દેહને પ્રેમઆપી જાય
મોહમાયાને દુર રાખીને પ્રેમ કરે,એજ નિર્મળપ્રેમની સાચીરાહ કહેવાય
મનને મળે અનંતશાંંતિ જીવનમાં,જે પાવનપ્રેમથી દેહને સુખઆપીજાય
.....સમય સંગે ચાલતા માનવદેહને,જીવનમાં સત્કર્મની સાચી રાહ મળી જાય.
દેહને સંબંધ સગાસંબંધીઓથી,જે મળેલદેહના પરિવારથી સમજાઈ જાય
સરળજીવનની રાહ શ્રધ્ધાપ્રેમથી કરેલભક્તિથી,દેહને જીવનમાં મળીજાય
નિર્મળપ્રેમ એ પરમાત્માની કૃપા જીવપર,જે મળે પાવનરાહ આપી જાય
થયેલકર્મનો સંબંધ છે જીવને જગતમાં,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય
.....સમય સંગે ચાલતા માનવદેહને,જીવનમાં સત્કર્મની સાચી રાહ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

September 17th 2020

સંત જલાસાંઇની જ્યોત

       
.      જય હો શીરડી વાલે સાંઇબાબા',જય જલારામ વિરપુરવાલા,,શ્રી સિંદુરીમાતાજી થામણા - Postimet | Facebook 
           .સંત જલાસાંઇની જ્યોત 
તાઃ૧૭/૯/૨૦૨૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનપ્રેમથી રાહ મળે માનવદેહને,જે શ્રધ્ધાભાવથી ભક્તિ કરાવી જાય
મળેલ દેહ જીવને ગતજન્મે થયેલ કર્મથી,ના કોઇજ જીવથી કદી છટકાય
.....દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની પાવનકૃપાથી ભક્તિ થાય.
પવિત્રભુમી ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ આવી જાય
પવિત્રદેહ લીધો વિરપુરમાં પ્રભુએ,જે ઠક્કરકુળથી માનવતા મહેંકાવી જાય
જલારામના નામથી એ ઓળખાય,સંગે જીવનસંગીનીને વિરબાઈ કહેવાય
અન્નદાનની રાહ દીધી માનવદેહને,જે જીવોને પ્રેમથી ભોજન કરાવી જાય
.....દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની પાવનકૃપાથી ભક્તિ થાય.
કુદરતની પાવનકૃપા અવનીપર,શેરડીમાં સાંઇબાબાના નામથી આવી જાય
દ્વારકામાઈની પવિત્રસેવાથી બાબાને,જીવનમાં પાવનશાંંતિનો સંગાથ થાય
સાંઇબાબાએ આંગળી ચીંધી માનવીને,શ્રધ્ધા સબુરીથી નાકદી દુર રહેવાય
પાવનરાહે જીવન જીવવા માટે,મળેલદેહને ના ધર્મકર્મ કોઇ કદી અડી જાય
.....દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની પાવનકૃપાથી ભક્તિ થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
September 16th 2020

જન્મની જ્યોત

.   વારાણસીમાં બાળકો સાથે જન્મદિવસ ઉજવશે PM મોદી, કરોડની રિટર્ન ગિફ્ટ | India News in Gujarati                         
 .           . જન્મની જ્યોત                           
તાઃ૧૭/૯/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર પવિત્રભુમીજ ભારત છે,તો પ્રેમથી બોલો ભારતમાતાની જય 
સંગે ભારતદેશના વડાપ્રધાન,શ્રી નરેંદ્રભાઈનો આજે જન્મદીવસ ઉજવાય
...એમને સપ્ટેમ્બર ૧૭,૧૯૫૦માં માતા હિરાબા વડનગરમાં જન્મ આપી જાય
પવિત્રકર્મની રાહ પકડી ચાલતા,પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન થઈ જાય
દુનીયામાં ગુજરાતીઓની અનેક પાવનરાહ છે,જે તેમના વર્તનથી દેખાય
પવિત્રરાહે કર્મ કરતા પરમાત્માનીકૃપા મળે,જે મળેલ લાયકાતથી સમજાય
પ્રેમ મળ્યો પ્રજાનો જે વ્હાલા નરેંદ્રભાઈને,ભારતનાજ વડાપ્રધાન કરી જાય
...એમને સપ્ટેમ્બર ૧૭,૧૯૫૦માં માતા હિરાબા વડનગરમાં જન્મ આપી જાય.
કુદરતની પાવન કૃપા અવનીપર,જે મળેલ દેહને જીવનમાં અનેકરાહે દેખાય
પવિત્રરાહમળી નરેંદ્રભાઈને જીવનમાં,જયાં માતાપિતાનો નિર્મળપ્રેમ મળીજાય
નાઆશા નાઅપેક્ષા જીવનમાં રાખી,એ પવિત્ર દેશમાં પવિત્ર કર્મ કરી જાય
નિખાલસપ્રેમથી વ્હાલા નરેંદ્રભાઈને,જન્મદીવસે પ્રદીપથી હેપ્પીબર્થડે કહેવાય
...એમને સપ્ટેમ્બર ૧૭,૧૯૫૦માં માતા હિરાબા વડનગરમાં જન્મ આપી જાય.
**************************************************************
     ભારતના વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈને આજે તેમના જન્મદીન નીમિત્તે હ્યુસ્ટનથી
પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનમાં રહેતા ગુજરાતીઓ તરફથી હેપ્પી બર્થ ડે સહિત
પવિત્રરાહે જીવનમાં ભારતદેશના વડાપ્રધાન થઈ મળેલદેહને પાવનરાહે લઈ જઈને
ઉજવળ જીવન માટે અભિનંદન.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત પરીવારના જય જલારામ
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

September 16th 2020

ભક્તિનો સાગર

+નવરાત્રી રે આવી | ચંદ્ર પુકાર+જય ભોલેનાથ - શ્રી નિલકંઠ મહાદેવ મંદિર-કેશોદ | Facebook
.              .ભક્તિનો સાગર      

તાઃ૧૬/૯/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયસંગે દેહ મળે જીવને અવનીપર,જે થયેલકર્મના બંધનથી લાવી જાય 
ગતજન્મે મળેલ માનવદેહને સંબંધસ્પર્શે,જે અવનીપરના આગમનથી દેખાય
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા,સમયે જીવનમાં સમજણ આપી જાય
અપેક્ષામોહને દુર રાખીને જીવવા,પ્રભુના અનેકદેહ ભારતમાંજ પ્રગટી જાય
જીવને મળેલદેહને સુખ માટે પુંજનકરવા,ભક્તિના સાગરને વહેવડાવી જાય
ભક્તિનો સાગર એપવિત્રનદીનીકૃપા,વંદનકરી અર્ચનાકરતા મુક્તિમળી જાય
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
પરમાત્મા એ લીધેલદેહ,જે શંકરભગવાનથી ઓળખાય એ ગંગાવહાવી જાય
પવિત્રગંગા જળથી અર્ચના કરતા જીવનમાં,પવિત્ર જીવનની રાહ મળી જાય
અનેક માતાનાદેહ લીધા ભારતમાં,આરાશુરમાં અંબામાતાથીય એ ઓળખાય
વ્હાલા અંબામાતાના આશિર્વાદ મળ્યા,જે મને ભક્તિસાગરનીરાહ આપીજાય  
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
****************************************************************
September 15th 2020

પ્રેમથી પધાર્યા

જાણો શિરડીના સાંઈબાબાનો ઇતિહાસ અને તેમના અનેક પરચાઓ.. | Apnu Bhavnagar

                    પ્રેમથી પધાર્યા 
  તાઃ૧૫/૯/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા હ્યુસ્ટનમાં,વ્હાલા સાંઇબાબા પધાર્યા અમારે ઘેર
આવી આંગણે પ્રેમથી આશિર્વાદ આપ્યા,મનને તરત શાંંતિ પણ મળી ગઈ
.....એવા મારા વ્હાલા અજબશક્તિશાળીએ,પરમાત્માની પાવનકૃપા આપી અહીં.
ભોલેનાથની પાવનકૃપાથી શેરડીમાં આવી,માનવતાને મહેકાવવા રાહ દીધી
કુદરતની પવિત્ર કેડી મળે જીવને,જે જીવને મળેલદેહથી અવનીપર સમજાય
કર્મનોસંબંધ એદેહના વર્તનથી મેળવાય,જે જીવને આવનજાવન આપી જાય
મળે કૃપા પરમાત્માએ લીધેલ પાવનદેહથી,જે પવિત્રધરતી ભારતની કહેવાય
.....એવા મારા વ્હાલા અજબશક્તિશાળીએ,પરમાત્માની પાવનકૃપા આપી અહીં.
ઓમ શ્રી સાંઇનાથાય નમઃનુ સ્મરણ કરી,વંદનકરતા બાબાનીકૃપા અનુભવાય
કૃપા વ્હાલા શંકર ભગવાનની ભારતમાં,જે શેરડીમાં સાંઇબાબાથી ઓળખાય
અદભુત પ્રેરણા સાંઇબાબાએ કરી,એ મળેલ માનવદેહને નાધર્મકર્મ અડી જાય
કુદરતની પાવનકૃપા અવનીપર,એ મળેલદેહને શ્રધ્ધાસબુરીથી શાંંતિ આપીજાય
.....એવા મારા વ્હાલા અજબશક્તિશાળીએ,પરમાત્માની પાવનકૃપા આપી અહીં.
##################################################################

 

September 14th 2020

ભોલેનાથની કૃપા

શિવ પરિવાર ના એ રોચક સત્યો કે જેનાથી છો તમે અજાણ..

.              . ભોલેનાથની કૃપા

  તાઃ૧૪/૯/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમપ્રેમથી પાવનરાહ મળે ભક્તોને,એજ શ્રી ભોલેનાથની કૃપા કહેવાય
માતા પાર્વતીના વ્હાલા ભરથાર,સંગે ગણપતિકાર્તિકના પિતા પણ થાય
.....પરમકૃપાળુ શંકર ભગવાન જગતપર,સાથે પાર્વતીમાતાની પણ પુંજા થાય.
પવિત્ર ભુમી ભારતની કરવા દેહ લીધો,એજ ભોલેનાથથી પણ ઓળખાય
પાર્વતીમાતાના પતિ એ કહેવાય,જે પવિત્રગંગાને પાવનરાહે વહાવી જાય
પવિત્રગંગા જળ લઈ અર્ચના કરતા,શ્રીભોલેનાથની પાવનકૃપા પણ થાય
જીવને મળેલદેહથી નિર્મળભાવે ભક્તિકરતા,અંતે જીવને મુક્તિમળી જાય
.....પરમકૃપાળુ શંકર ભગવાન જગતપર,સાથે પાર્વતીમાતાની પણ પુંજા થાય.
ભાગ્યવિધાતા શ્રીગણપતિ જગતપર,જેમને ગજાનંદ ગણપતિ પણ કહેવાય
અજબશક્તિશાળી એ ભાગ્ય વિધાતા,માતાપિતાના અનંતપ્રેમથી થઈજાય
મળેલ માનવદેહને જીવનમાં સુખશાંંતિ મળે,એ પરમાત્માની કૃપા કહેવાય
ભારતદેશની ભુમીને પાવન કરવા,પરમાત્મા અનેકદેહ લઈ પવિત્ર કરીજાય
.....પરમકૃપાળુ શંકર ભગવાન જગતપર,સાથે પાર્વતીમાતાની પણ પુંજા થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 12th 2020

પવનપુત્ર હનુમાન

  *****Hanuman Shubh Savar (શુભ સવાર હનુમાન નાં ફોટા) Pictures and Graphics - SmitCreation.com*****
.                .પવનપુત્ર હનુમાન 

તાઃ૧૨/૯/૨૦૨૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ  

બાહુબલીબળવાન જગતમાં અજબશક્તિશાળી,એજ પવનપુત્ર પણ કહેવાય
શ્રી રામસીતાના વ્હાલાભક્ત હતા,શક્તિશાળી રાજારાવણનુ એદહન કરીજાય
.....એવા શ્રી હનુમાનજીને પવનપુત્ર કહેવાય,સંગે અંજનીમાતાના સંતાનથીય ઓળખાય.
મળેલદેહને પરમાત્માની ક્રુપાએ શક્તિમળી,જીવનમાં પાવનકર્મ એ કરી જાય
માતા અંજનીના એ લાડલા દીકરા,જે મળેલદેહથી માતાનો પ્રેમ મેળવી જાય
સુર્યદેવના વ્હાલા પુત્ર પવનદેવના પ્રેમથી,પત્ની અંજનીને સંતાન આપી જાય
માતાપિતાના પ્રેમ સંગે આશિર્વાદથી,હનુમાનજી અજબશક્તિશાળી થઈ જાય
.....એવા શ્રી હનુમાનજીને પવનપુત્ર કહેવાય,સંગે અંજનીમાતાના સંતાનથીય ઓળખાય.
કૃપામળી પવનપુત્ર હનુમાનની,જયાં પરમાત્મા શ્રીરામ સંગે સીતાજીને વંદનથાય
શ્રધ્ધાભાવથી ભક્ત્રિ કરતા જીવનમાં,પવિત્રશક્તિશાળી કૃપા પ્રદીપને મળી જાય
રામનામની માળા જપતા ભક્તને,જીવનમાં પાવનકર્મનો સંગાથપણ મળતો જાય
મારા વ્હાલા હનુમાનજીને,શનિવારે જય હનુમાન સંગે હનુમાન ચાલીસાય વંચાય
.....એવા શ્રી હનુમાનજીને પવનપુત્ર કહેવાય,સંગે અંજનીમાતાના સંતાનથીય ઓળખાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 11th 2020

માનવ જ્યોત

**દિવાળીમાં તેલના દીવડા જ શા માટે પ્રજ્વલિત કરે છે ? - સનાતન સંસ્થા**
.                .માનવ જ્યોત 
તાઃ૧૧/૯/૨૦૨૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન જીવનુ,કુદરતની એ નિર્મળલીલા મળેલદેહથી દેખાય
અનેકદેહનો સંબંધ છે જીવનો અવનીએ,જે પશુ,પક્ષીને માનવીથી દેખાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે મળેલ દેહના થયેલ કર્મથીજ સમજાય.
આગમન વિદાય એ ગતજન્મે કરેલ કર્મ,જે જીવને જન્મમરણથી મળી જાય 
મળેલ માનવદેહ અવનીએ સમયનેસ્પર્શે,એ જીવનમાં સદકર્મકુકર્મથી દેખાય
લાગણીમોહ એ કળીયુગની કેડી,જે અનેકરાહે મળેલદેહને અનુભવે સમજાય
પાવનકૃપા પરમાત્માની દેહ પર,જ્યાં શ્રધ્ધાભાવથી પવિત્રભક્તિ રાહે જીવાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે મળેલ દેહના થયેલ કર્મથીજ સમજાય.
સમયના સંગે દેહમળે કૃપાએ જીવને,જે દેહને પાવનરાહે આંગળી ચીંધી જાય
ભક્તિભાવથી પરમાત્માની પુંજા કરતા,મળેલ દેહની પ્રેમનીજ્યોત પ્રગટી જાય
સરળજીવનની રાહ મળે મળેલદેહને,જે જીવનમાં સુખશાંંતિનો સાથઆપીજાય
પરમાત્માએ લીધેલ પવિત્રદેહથી ભુમીપર,માનવદેહથી અનેકદેહની પુંજા થાય 
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે મળેલ દેહના થયેલ કર્મથીજ સમજાય.
==================================================================

 

September 10th 2020

શ્રી સાંઇ

.
.Sanj Samachar
             શ્રી સાંઇ  

તાઃ૧૦/૯/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા પ્રેમથી વંદન કરતા પવિત્રરાહે,મળેલદેહથી અવનીપર જીવાય
અપેક્ષામોહને જીવનમાં માનવતા સંગે,કદીય ના કોઇથી દુર રહેવાય 
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
જન્મલીધો પરમાત્માએ વિવાદ ગામમાં,જે સાંઇબાબાથી ઓળખાય
શેરડી આવી માનવદેહથી ધરતી પાવનકરી,માનવતા મહેંકાવી જાય 
ભક્તિમાર્ગની રાહ દીધી માનવીને,જે નાતજાતથીજ દેહને દુર રખાય
જીવને મળેલદેહને પાવનરાહે જીવવા,નિર્મળ ભાવથીજ ભક્તિ કરાય
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
જીવને સંબંધ છે દેહથી અવનીપર,જે અનેકરાહે જીવનેદેહથી સમજાય
મળેલદેહને કર્મઅનેવર્તનથી રાહમળે,જે સુખદુખનો સ્પર્શ કરાવી જાય
જીવને પાવનરાહ મળે દેહથી,જ્યાં દેહ પરમાત્માની પુંજા જ કરીજાય
અવનીપરનુ આગમનવિદાય એકર્મનો સ્પર્શ,બાબાની ભક્તિએ છુટાય
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
« Previous PageNext Page »