December 28th 2020
. જગત વિધાતા
તાઃ૨૮/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધા ભાવનાથી પુંજન કરાય
પરમકૃપાળૂ ભોલેનાથ ભારતનીભુમીપર,જન્મલઈ આગમન કરી જાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
બમબમભોલે મહાદેવથી ભક્તિકરતા,શંકર ભગવાનની કૃપા મેળવાય
પવિત્રકૃપા માતા પાર્વતીની મેળવાય,જે મળેલદેહ પર કૃપા કરી જાય
અદભુતલીલા ભોલેનાથની ભારતમાં,જે પ્રભુની કૃપાએ દેહ લઈ જાય
અવનીપરના આગમનથી ધરતી પવિત્રકરી,એ જગતવિધાતા કહેવાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
પાવનપ્રેમ પત્ની પાર્વતી માતાનો,જેગણેશ અને કાર્તીક પુત્ર દઈ જાય
અશોકસુંદરી દીકરી થઇ આવી,એ પવિત્રજીવો સંતાનથી આવી જાય
પુત્ર ગણેશ એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહને કર્મનીકેડી દઈ જાય
શ્રી શંકર ભગવાનનો પવિત્રપરિવાર,દુનીયામાં પરમાત્માનાદેહ કહેવાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
************************************************************
No comments yet.