સવાર આવી
######
. . સવાર આવી તાઃ૨૯/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમકૃપાળુ સુર્યનારાયણનુ આગમન થતા,અવનીપર સવાર આવી જાય પાવનકૃપા મળે મળેલદેહને જીવનમાં,જે દરરોજ સવારસાંજથી મેળવાય .....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય. કુદરતની આલીલા અવનીપર,જે ગતજન્મે થયેલકર્મનો સંબંધ આપી જાય અનેકદેહ મળે જીવને અવનીપર,એ સમયસંગે પરમાત્મા પ્રેરણા કરી જાય માનવદેહને સંગાથ સમજણનો,જે પશુ,પક્ષી,પ્રાણીથી કૃપાએ દુર રહેવાય કર્મનાબંધન સ્પર્શે કરે માનવદેહને,એ મળેલદેહથીજ જીવને સમજાઇ જાય .....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય. સુર્યદેવની પાવનકૃપા એ સવારના આગમને દેખાય,જગત આખુ જાગી જાય પ્રભાતમાં તેમના આગમને વંદન કરી,જીવનમાં સુર્ય સ્નાન શક્તિ દઈ જાય સુર્યદેવ એ પાવનકૃપા છે જગતમાં,તેમના સ્પર્શથી દુનીયાઆખી જીવી જાય સવાર સાંજને સમજીને જીવતા જીવોને,પરમપ્રેમ સુર્યદેવનો મળતો થઈ જાય .....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય. ************************************************************