October 7th 2021
. . આરાસુરના માતા
તાઃ૭/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવકારુ હુ આરાસુરના અંબેમાતાને અવનીપર,જે ભક્તોપર કૃપા કરી જાય
પ્રેમ મળે પવિત્ર નવરાત્રીના તહેવારમાં,જ્યાં ભક્તો ડાંડીયા રાસ રમતા જાય
....એજ ભક્તોની શ્રધ્ધા હિંદુધર્મના,જે પવિત્ર નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
આવો આંગણે આરાસુરથી માતા,શ્રધ્ધાથી નવરાત્રીમાં ધુપદીપથી પુંજા કરાય
તમારી પવિત્રકૃપાએ મળેલદેહને સુખ મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય
દુર્ગામાતાની કૃપા થઈ ભક્તોપર,જે નવરાત્રી માટે નવસ્વરૂપથી કૃપા કરીજાય
ગરબે રમતા ભક્તોને સમયનો સંગાથ મળે,ત્યાં માતાની પવિત્રકૃપા મળી જાય
....એજ ભક્તોની શ્રધ્ધા હિંદુધર્મના,જે પવિત્ર નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
ભારતમાં હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ઉજવતા,સમયે દુનીયામાં શ્રધ્ધાથી પુંજીજાય
મળેલ માનવદેહને પરમાત્માકૃપાએ,જીવનમાં મળેલદેહને પવિત્રરાહે જીવનજીવાય
પવિત્રક્ર્પા કરવાહિંદુધર્મમાં અનેકદેહથી,દેવ અને દેવીઓની પુંજાએ કૃપામળીજાય
ભારતદેશમાં ભગવાને અનેકદેહથી જન્મલીધો,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવીજાય
....એજ ભક્તોની શ્રધ્ધા હિંદુધર્મના,જે પવિત્ર નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
###################################################################
No comments yet.