October 10th 2021
. .મળે માતાની કૃપા
તાઃ૧૦/૧૦/૨૦૨૧ (નવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના પવિત્રદીવસોએ ગરબે ઘુમતા,માતાની પવિત્રકૃપા મળી જાય
ચોથા નોરતે કુષ્માંડામાતાને પગે લાગીને,દાંડીયારાસ સંગે ગરબા ગવાય
....દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર,જે નવરાત્રીના નવદીવસે વંદન કરાય.
માતાનો પવિત્રપ્રેમ મળે નવરાત્રીમાં,જે ભક્તો ને પવિત્રપ્રસંગ આપી જાય
શ્રધ્ધાથી ગરબા ગાતા ભક્તો,દાંડીયા રાસ વગાડી તાલીપાડી ઘુમી જાય
પવિત્ર હિંદુ ધર્મ જગતમાં ઉજવાય,જે ભારતદેશથી માતાનીકૃપા કહેવાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો,જે ભારતદેશને પવિત્રકરીજાય
....દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર,જે નવરાત્રીના નવદીવસે વંદન કરાય.
પવિત્ર દુર્ગામાતા ભારતમાં નવ સ્વરૂપથી,દેહલઈ ભુમી પવિત્ર કરી જાય
હિંદુધર્મમાં નવરાત્રીનો તહેવાર પવિત્ર છે,જેમાં નવસ્વરુપને પુંજાય કરાય
કુષ્માંડામાતા સંગે સ્કંદમાતાને પણ ગરબે ધુમી, માતાને વંદન કરી જાય
આજના પવિત્રદીવસે દુર્ગામાતાના બંન્ને સ્વરૂપને,ગરબારાસે પ્રાર્થનાકરાય
....દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર,જે નવરાત્રીના નવદીવસે વંદન કરાય.
#+#+#+#+#+#+#+#+#+#+#+#+##+#++#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+
No comments yet.