October 11th 2021
. .ગરબે ઘુમી રાસ રમો
તાઃ૧૧/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના પવિત્ર તહેવારમાં ભક્તો,તાલીપાડીને ગરબેઘુમી રાસરમી જાવ
કાત્યાયની માતાની પવિત્ર કૃપા મળશે,જે દુર્ગા માતાના પ્રેમની કૃપા થાય
.....હિંદુધર્મમાં પરમાત્માથી માતાની કૃપા મળે,જે પવિત્ર નવરાત્રીથી મેળવાય.
શ્રધ્ધારાખીને નવરાત્રીમાં તાલી પાડીને,ગરબે ઘુમતા દાંડીયા રાસ રમાય
ભક્તિના સાગરમાં પવિત્ર ભાવનાથી ભક્તો,માતાની કૃપા મેળવતા જાય
ભારતનીભુમીથી પ્રભુકૃપાએ માનવદેહને,અનેકપવિત્ર તહેવાર મળતા જાય
મળેલદેહના જીવને નાકોઇજ,આશા ક અપેક્ષા અડીજાય એકૃપા કહેવાય
.....હિંદુધર્મમાં પરમાત્માથી માતાની કૃપા મળે,જે પવિત્ર નવરાત્રીથી મેળવાય.
જગતમાં દાંડીયા રાસ સંગે ઢોલ નગારા વાગતા,ભક્તો ગરબે ઘુમી જાય
દુર્ગા માતાની પવિત્રકૃપા મળે ભક્તોને,જે સમયની સાથે વંદન કરી જાય
દુર્ગામાતાની કૃપાએ છઠા નોરતે,કાત્યાયની માતાને ગરબે રમીનેજ પુંજાય
ભક્તોને પવિત્રપ્રેમ મળે દુર્ગામાતાનો,જે નવરાત્રીના તહેવારને ઉજવીજાય
.....હિંદુધર્મમાં પરમાત્માથી માતાની કૃપા મળે,જે પવિત્ર નવરાત્રીથી મેળવાય.
===============================================================
No comments yet.