October 11th 2021

મળે કૃપા માતાની

shardiya navratri vishesh sanyoga is being made goddess durga
.           .મળે કૃપા માતાની

તાઃ૧૧/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર શ્રધ્ધાથી ગરબે ઘુમતા ભક્તોથી,કાત્યાયની માતાનીકૃપા મેળવાય
દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીનોતહેવાર,જે હિંદુધર્મમાંજ મળી જાય
....એ પવિત્રકૃપામળે ભક્તોને માતાની,જે દાંડીયારાસ વગાડી ગરબા રમાડી જાય.
હિંદુધર્મમાં પવિત્ર તહેવાર મળે માનવદેહને,જે પરમાત્માની કૃપા કહેવાય
નવરાત્રીના તહેવારમાં માતાનીકૃપા મળે,જે પવિત્રકૃપાએ ભક્તો રમીજાય
દાંડીયારાસ વગાડતા તાલીપાડીને,સંગે પવિત્ર શ્રધ્ધાથી ગરબા ગાઇ જાય
માતાની પવિત્રકૃપા મળે ભક્તોને,એ માતાના નવસ્વરૂપને વંદન કરીજાય
....એ પવિત્રકૃપામળે ભક્તોને માતાની,જે દાંડીયારાસ વગાડી ગરબા રમાડી જાય.
તાલી પાડીને ગરબેરમતા ભક્તો,સંગે ઢોલનગારાને વગાડી સાથઆપીજાય
માતાની પવિત્રકૃપા ભક્તોપર થતા,સમયસાથે ચાલીને ભક્તિપ્રેમઆપીજાય
હિંદુ તહેવારને ભક્તો જગતમાંઉજવે,જે પવિત્રતહેવારની રાહ બતાવી જાય
દેવ અને દેવીઓથી ભારતમાંજન્મલીધો,જે પરમાત્માની પવિત્ર કૃપા કહેવાય
....એ પવિત્રકૃપામળે ભક્તોને માતાની,જે દાંડીયારાસ વગાડી ગરબા રમાડી જાય
#################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment