October 20th 2021

સવાર પડી ગઈ

##જાણો રાંદલમાંના લોટા કેમ તેડવામાં આવે છે? તમારા ઘરમાં રાંદલમાંના લોટા  તેડવાથી થાય છે આવું.. - TheGreatGujju##
.            .સવાર પડી ગઈ   

તાઃ૨૦/૧૦/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્ર શક્તિશાળી સુર્યદેવ છે,જેમના આગમને દેહને સવાર મળી જાય 
પરમકૃપાળુ અવનીપર સુર્યનારાયણદેવ છે,એ રાંદલમાતાના પતિદેવથી ઓળખાય
.....પરમાત્માની પવિત્રકૃપા દુનીયાપર કહેવાય,જે જીવને મળેલદેહને સવારસાંજ આપી જાય.
કુદરતની આ પવિત્રલીલા જગતપર,ના કોઇ શક્તિશાળી દેહથી પણ દુર રહેવાય
સવાર પડે ધરતીપર જે મળેલદેહને,સમયની સાથે લઈ જાય જે દીવસમાં સમજાય
માનવદેહને દીવસથી જીવનમાં કામ મળી જાય,જે સંધ્યાકાળસુધી જીવનમાં કરાય
એ કુદરતની પવિત્રકૃપાછે મળેલદેહપર,જે સુર્યદેવના આગમનવિદાયથી મળી જાય
.....પરમાત્માની પવિત્રકૃપા દુનીયાપર કહેવાય,જે જીવને મળેલદેહને સવારસાંજ આપી જાય.
સમયની સાથે જીવપર પ્રભુની કૃપા થાય,એ અમેકદેહનો સંબંધ કર્મથીજ મેળવાય
જીવને માનવદેહ મળે પરમાત્માની પાવનકૃપાએ,જે મળેલદેહને સમજણથી સચવાય
જગતપર પવિત્રકૃપાળુ સુર્યદેવછે,એ જીવને મળેલદેહને દીવસમાં સવારસાંજ દઈજાય
અબજો વર્ષોથી અવનીપર તેમના આગમનવિદાયથી,મળેલદેહને સવારસાંજ દઈજાય
.....પરમાત્માની પવિત્રકૃપા દુનીયાપર કહેવાય,જે જીવને મળેલદેહને સવારસાંજ આપી જાય.
=========================================================================
  

,

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment