October 28th 2021
. .જય માતા અંબાજી
તાઃ૨૮/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધાથી પુજ્ય અંબામાતાને વંદન કરતા,આરાસુરથી આવી જાય
ભક્તોની પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,માતાની પવિત્રકૃપા અનુભવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ અંબેમાતા,ગરબે રમતા ભક્તોપર પવિત્રકૃપા કરી જાય.
પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા દેવ દેવીયોથી,ભારતદેશમાંજ જન્મ લઈ જાય
હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભક્તોથી ઉજવાય,જે પ્રભુનીકૃપાથીજ ઉજવાય
નવરાત્રીના પવિત્રતહેવારના નવદીવસ,દુર્ગામાતાના નવસ્વરૂપનીપુંજાથાય
તાલીપાડીને ગરબેઘુમતા ભક્તો ભક્તિભાવનાથી,મા અંબાનેય પુંજી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ અંબેમાતા,ગરબે રમતા ભક્તોપર પવિત્રકૃપા કરી જાય.
શ્રધ્ધાથી ભક્તિકરતા ભક્તો,પવિત્ર હિંદુતહેવારમાં માતાને વંદન કરી જાય
આરાસુરથી માતા અંબાજી આવે,સંગે પાવાગઢ્થી માતાકાળકા આવીજાય
અનેક પવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ થઈજાય
પવિત્ર ધર્મમાંજ શ્રી અંબે શરણં મમઃ,સંગે ૐ ક્રીં કાલિયે નમઃથીજ પુંજાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ અંબેમાતા,ગરબે રમતા ભક્તોપર પવિત્રકૃપા કરી જાય.
####################################################################
No comments yet.