October 29th 2021

પ્રભુની પ્રેમાળકૃપા

જાણો અઠવાડિયાનો કયો દિવસ કયા ભગવાનને સમર્પિત છે –

.           પ્રભુની પ્રેમાળકૃપા

તાઃ૨૯/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની પવિત્રકૃપા જગતમાં અનેકદેહને,શ્રધ્ધાભાવનાથી ભક્તિથી મળી જાય
જીવને જન્મથી મળેલ માનવદેહને,સમયને સમજીને ચાલતા અનુભવ થઈ જાય
.....પ્રેમાળકૃપા પ્રભુની મળતી જાય,જે મળેલ માનવદેહને પવિત્ર શ્રધ્ધાથી મેળવાય.
હિંદુધર્મથી પરમાત્માએ આંગળી ચીંધી,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મીજાય
પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને પવિત્રપ્રેરણા કૃપાથી કરી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહ એ પરમાત્માનીજ કૃપા કહેવાય
જીવને ગતજન્મે મળેલદેહના કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
.....પ્રેમાળકૃપા પ્રભુની મળતી જાય,જે મળેલ માનવદેહને પવિત્ર શ્રધ્ધાથી મેળવાય.
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે દેહને સમયનીસાથે લઈ જાય
શ્રધ્ધારાખીને પરમાત્માએ લીધેલદેહની,ઘરમાં ધુપદીપ સંગે પુંજાકરી વંદનકરાય
પ્રભુની પાવનકૃપાથી મળેલદેહને જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષા અડીજાય
એજ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે ભારતમા જન્મલઈ પ્રેરણાકરી જાય
.....પ્રેમાળકૃપા પ્રભુની મળતી જાય,જે મળેલ માનવદેહને પવિત્ર શ્રધ્ધાથી મેળવાય.
===================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment