March 13th 2023

હર હર ભોલે મહાદેવ

હર હર મહાદેવ 🙏 ન્યુ સ્ટેટસ • ShareChat Photos and Videos
.            હર હર ભોલે મહાદેવ 

તાઃ૧૩/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જગતમાં,જે ભારતદેશથી જગતમાં પ્રસરી જાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધા,એ પ્રભુની કૃપાજ કહેવાય
.....સમયની સાથે માનવદેહને પવિત્રપ્રેરણા મળે,સોમવારના દીવસે ભોલેનાથને પુંજાય.
પવિત્રદેહ લીધો શંકર ભગવાનથી ભારતંંમાં,જેમને હરહર મહાદેવથીય પુંજનકરાય
શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરતાજ,ૐ નમઃ શિવાયથી પ્રભુને વંદન કરાય
પવિત્ર માતાપાર્વતીના એ પતિદેવથીય પુંજાય,જે પવિત્ર હિમાલયની પુત્રી કહેવાય
પવિત્રસંતાન જેગૌરીનંદન ગજાનંદ કહેવાય,જેમને ભાગ્યવિધાતા શ્રીગણેશથીપુંજાય
.....સમયની સાથે માનવદેહને પવિત્રપ્રેરણા મળે,સોમવારના દીવસે ભોલેનાથને પુંજાય.
શ્રધ્ધાથી સોમવારે શંકર ભગવાનની પુંજાકરતા,બમબમભોલે મહાદેવથી વંદનકરાય
ઘરમાં શ્રધ્ધાથી ભોલેનાથને વંદનકરી,પુત્ર શ્રીગણેશને ગૌરીનંદન ગજાનંદથી પુંજાય
શ્રીગણેશને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથીપૂંજાય,તેમનીપત્નિ રિધ્ધીઅનેસિધ્ધીને પુંજાય
પવિત્રસંતાન શ્રીગણેશના કહેવાય,જેમને હિંદુધર્મમાં શુભ અને લાભથી વંદન કરાય
.....સમયની સાથે માનવદેહને પવિત્રપ્રેરણા મળે,સોમવારના દીવસે ભોલેનાથને પુંજાય.
=======================================================================
##*****ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***ૐ નંમઃ શિવાય*****##
=======================================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment