March 17th 2023

સમયનોસંગાથ મળે

 આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા | નવગુજરાત સમય
.             સમયનોસંગાથ મળે

તાઃ૧૭/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવના મળેલદેહને જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
....સમયની સાથે ચાલવાની પ્રેરણાકરે પરમાત્મા,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય,જે માનવદેહને પાવનરાહે પ્રેરણા કરી જાય
જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,એ ભારતમાં જન્મ લઈ માનવદેહને પ્રેરી જાય
જીવને સમયે જન્મમળે ગતજન્મના કર્મથી,જે અવનીપરના આગમનથી જીવને અનુભવાય
માનવદેહમળે એજ પ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવી સુખ આપીજાય
....સમયની સાથે ચાલવાની પ્રેરણાકરે પરમાત્મા,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
અવનીપર મળેલદેહને સમયનો સંગાથમળે,જે જન્મમરણથી દેહને સમયનીસાથે ચલાવીજાય
જીવને જન્મ મળતા દેહને બાળપણ જુવાની ઘૅડપણ મળે,જે દેહને સમયનીસાથે લઈ જાય
પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી કહેવાય,જેમની કૃપાથી મળેલદેહ ઘરમાં ભક્તિકરીજાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જગતમાં નાકોઇ જીવની તાકાતથી દુર રહેવાય
....સમયની સાથે ચાલવાની પ્રેરણાકરે પરમાત્મા,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
*****************************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment