August 8th 2023

પ્રભુનો કૃપા પવિત્ર

  
.            પ્રભુનીકૃપા પવિત્ર  

તાઃ૮/૮/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં જીવને જીવનમાં અનેકરાહે સંગાથમળે,એ પ્રભુનીકૃપા કહેવાય
પ્રભુનીકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
....મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે જીવનમાં કર્મ કરાવી જાય.
પાવનકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એદેહને ભક્તિરાહ આપીજાય 
જીવને ગત જન્મનાદેહના કર્મથી માનવદેહ મળે,જે કર્મનીરાહેજ લઈજાય
જીવને જન્મમળતા જીવનમાં બાળપણ,જુવાની અને ઘેડપણ મળી જાય
સમયની સાથે ચાલવા પ્રભુની પ્રેરણામળે,જે જીવનમાં શ્રધ્ધાભક્તિ મળે
....મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે જીવનમાં કર્મ કરાવી જાય.
માનવદેહને પ્રભુની પાવનકૄપા મળે,જ્યાં પવિત્રભક્તિરાહે જીવન જીવાય
શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવોકરીને આરતીઉતારાય
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહથી કૃપાકરીજાય
આ અદભુતક્રુપા ભગવાનની કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ મળી જાય 
....મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે જીવનમાં કર્મ કરાવી જાય.
############################################################