સજળ નેત્ર
સજળ નેત્ર
તાઃ૨૪/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખમાં આવે પાણી,ના જગમાં શકે કોઇ જાણી
અકળઅજબએ લીલા,ના પરમાત્માથી અજાણી
……….આંખમાં આવે પાણી.
સુંદર સ્નેહની વાણી,જે મળી જાય સહવાસીની
શાંતિઆવે દોડીજીવનમાં,જે આવીજાયઅજાણી
શબ્દોની પ્રેમની સાંકળ,એમળી જાય મનમાની
લાવે પ્રેમના આંસુ આંખે,જે ખુશીખુશી લઇઆવે
………. આંખમાં આવે પાણી.
દુર્લભ પ્રેમ મળે માબાપનો,જે દેહેથી અનુભવાય
મળીજાય કૃપાપ્રભુની,સાચા આશિર્વાદથી લેવાય
મળી જાય સદમાર્ગ જીવને,જે દેહ થકી મેળવાય
સજળ નેત્ર બનીજ જાય,જ્યાં હૈયુ આનંદે ઉભરાય
………..આંખમાં આવે પાણી.
લીલા પ્રભુનીન્યારી જગમાં,ના માનવીથીપરખાય
ક્યારે આંખમાં આવે પાણી,જે સજળ નેત્ર કહેવાય
દેહનાબંધન સ્પર્શતા જીવને,જે જન્મ મરણે દેખાય
આંસુ આવે એ જગમાં એવા,ના કોઇથી એ લુછાય
……….આંખમાં આવે પાણી.
++++++++++++++++++++++++++++++